પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ- ભાગ- 35) ફિરોજચાચાની આંખના ખુણા વાંર-વાંર ભીના થઈ જતા હતા. ડીસીપી સિન્હા અને ઈન્સપેક્ટર જાડેજા ત્યારે શાંત બેસી જતા હતા. ફિરોજચાચાએ પોતાની વાત આગળ વધારતા કહ્યુ, સાહેબ અમારી સોસાયટીની ચારે તરફથી પથ્થરમારો થઈ રહ્યો હતો, બહાર જે પોલીસવાળા હતા તે ટોળાને રોકી શકે તેવી સ્થિતિમાં ન્હોતા અને રોકે પણ કેવી રીતે તેમની પાસે લાકડી સિવાય કંઈ ન્હોતુ. મને પણ ડર લાગી ગયો, ઘરના દરવાજા અને બારી પાસે જવાય તેવી સ્થિતિ પણ ન્હોતી પણ ઘરની અંદરથી બારીના તુટેલા કાચમાંથી જેટલુ જોઈ શકાતુ હતું તેનાથી એટલો અંદાજ આવી રહ્યો હતો કે સોસાયટીના લોકો ડરના માર્યા પોતાના ઘર છોડી સલીમભાઈના ઘર તરફ ભાગી રહ્યા હતા. સલીમભાઈ એક જમાનાના બહુ મોટા નેતા હતા. જો કે હવે તો તેમની પણ ઉમંર થઈ ગઈ હતી પણ તેમનો લોકોમાં વટ હતો. હજી પણ તેમના ઘરે જુના જમાનાના નેતાઓની અવરજવર હતી. હવે સોસાયટીના લોકો પાસે એક માત્ર આશરો એટલે સલીમભાઈ હતા.....
Read More :- http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-35
Related Articles
This post first appeared on Meranews.com – Leading Gujarati News Portal, please read the originial post: here