કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાના પગલે તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.
1/ 6
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં કોરોના સંક્રમણ ઓછું થવાનું નામ લેતુ નથી. સુરતમાં (surat) છેલ્લા પાંચ-સાત દિવથી માત્ર કોરોના વાયરસમાં (coronavirus) આંશિક ઘટાડો જાવા મળ્યો છે. ગુરૂવારે બપોર સુધીમાં સુરતમાં 92 કેસ સાથે પોઝિટિવ કેસનો (corona positive case) આંકડો વધીને 19,917 થયો છે. જયારે તેની સામે અત્યાર સુધી 16,391 લોકો કોરોના મુક્ત થયા છે. તેમજ કોરોનાથી વધુ એકનું મોત મૃત્યુઆંક વધીને 795 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 7954 પર પહોંચ્યો છે. જેમાં શહેરના 605 અને જિલ્લામાં 190 પર પહોંચ્યો છે.
2/ 6
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે.તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે.
3/ 6
કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાના પગલે તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. તે દરમ્યાન બુધવારે બપોર સુધી સુરત શહેરમાં 70 કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં 15,662 કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્યા છે.
4/ 6
બપોર સુધીમાં 22 કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 4,255 કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 19,917 પર પહોચ્યો છે. જયારે એકનું મોત મૃત્યુઆંક વધીને 795 પર પહોંચ્યો છે.
5/ 6
આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ 16,391 લોકો કોરોનામુક્ત થયા છે. જેમાંથી 3400 લોકો જિલ્લાના છે.
6/ 6
હાલ શહેર અને જિલ્લામાં 2640 એક્ટિવ કેસ છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 113 દર્દીઓ પૈકી 70 દર્દીઓની હાલત ગંભીર છે. 5 વેન્ટિલેટર, 14 બાઈપેપ અને 51 ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 64 પૈકી 53 ગંભીર છે. 5 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 30 ઓક્સિજન પર છે.
Related Articles
Source link