વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા જુઓ તસવીરો
1/ 7
અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા (Ayodhya)માં આજે ભવ્ય રામ મંદિર (Ram mandir) ભૂમિ પૂજન (Bhumi Pujan) કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હસ્તે બપોરે 12:44 વાગે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત થતા જ આ જાણીતા નેતા અને સાધુ સંતો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.
2/ 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા. આ માટે સવારે જ તે દિલ્હીથી રવાના થઇ ગયા હતા. અને બપોરે રામ મંદિર ખાતે તેમના વરદ હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
3/ 7
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી તેવા આનંદી પટેલ પણ આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા.
4/ 7
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી સવારથી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ અતિતિથીઓનો આદર સત્કાર કરવાની સાથે જ સધન સુરક્ષા વ્યવસ્થા પર પણ નજર કરતા જોવા મળ્યા હતા.
5/ 7
સંતજનમાં બાબા રામદેવ પણ રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત દેશ આજે રામમંદિરની આ મોટી ઘટનાનો સાક્ષી બનવા જઇ રહ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે પંતજલિ યોગપીઠ અયોધ્યામાં મોટું ગુરુકુળ બનાવશે.
6/ 7
આ ઉપરાંત ઉમા ભારતી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
7/ 7
આ ઉપરાંત આ કાર્યક્રમમાં સ્વામી અવધેશાનંદ ગિરી, ચિદાનંદ મહારાજ જેવા મોટા સાધુ સંતોએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ખાલી 175 અતિથિઓને જ ભૂમિ પૂજનના આ ખાસ કાર્યક્રમમાં બોલવવામાં આવ્યા છે. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસિંગનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.
Related Articles
Source link