આ જગતમાં અત્યાર સુધી જેટલી પણ સંસ્થાઓ કે પછી ધર્મો શરૂ થયા છે તેનો મૂળ પાયો જે તે સમય અને પરિસ્થિતિને અનુકૂળ હતો. સમય બદલાતા દરેક વ્યવસ્થાઓએ સમાધાન પણ આદર્યા છે જે નથી કરી શક્યા તેઓ પાછળ છૂટી ગયા છે.
Related Articles
કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનાં સમાન અભિપ્રાયને લીધે આજ સુધી એક પણ એવી વ્યવસ્થા ભાંગી પડી નથી.
એટલે અભિપ્રાય લેવામાં કે આપવામાં કોઈને હાનિ ન થવી જોઈએ. જેને કોઈના અભિપ્રાયને લઈને તકલીફ થાય છે ત્યારે તેમણે પોતાની વૈચારિક ક્ષમતા ને વધારી અભિપ્રાય આપતાં વ્યક્તિની માનસિક/અનુભવિક પરિસ્થિતિ સમજી સમાધાન કરી લેવું જોઈએ.
કારણકે અભિપ્રાય આપનાર વ્યક્તિ જો રિસર્ચ કરીને અભિપ્રાય આપતો હોય તો એ યોગ્ય છે બાકી કોઈને ફરક નથી પડતો.
રહી વાત આપણાં ધર્મની.. તો સ્વાભાવિક છે ટીકા ટિપ્પણી તકલીફ આપે પણ આપણે આપણો ધર્મ બતાવવાનો સમય ત્યારે જ શરૂ થાય છે.
સત્ય મેવ જયતે..
સત્ય નો જ વિજય થાય છે. જો આપણી વ્યવસ્થા કે ધર્મ સાચો છે અને સત્ય છે તો ચિંતા શેની?
😊
#કમલમ
This post first appeared on Balcony Of Wisdom (સમજણ નો ઓટલો), please read the originial post: here