Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

બાળકમાં સંસ્કાર સિંચન

રોટલી ચવડ થાય એટલે કે, જલ્દી સુકાઈ જતી હોય, તો મમ્મી રોટલીનો લોટ બાંધતી વખતે મોણ (એટલે કે ધી કે તેલ) ગુંથણ વખતે જ ઉમેરી દે છે. જેથી રોટલી ખાસ્સા સમય સુધી નરમ રહે! અને પછી ઉપરથી ગમે તેટલું ચોપડો, તેની કોઈ અસર રોટલી સુધી પહોંચતી નથી.


આવું જ થતું હોય છે બાળકો સાથે. બાળક મોટું થાય અને પછી તેની રીત-ભાત, આવડત, સંસ્કાર ઉપર ટીપ્પણીઓ કરીએ તેના કરતા તેમની અંદર બાળપણ થી જ સદગુણોનું મોણ ભેળવવું જરૂરી છે.

પણ મોણ ભેળવવું જ પડે એ જરૂરિયાત નથી. એટલે જ મેં રોટલી નું ઉદાહરણ લીધું. એ નભે છે ઘઉં ક્યાંના છે એના પર. ઘણી વખત બાળક સાંભળી અને જોઇને શીખતા હોય છે એટલે ઘઉં (પરિવાર જનો) પોતાનું માનસિક અને વ્યવહારિક સ્વાસ્થ્ય જાળવી રાખે એ પણ ખુબ જ જરૂરી છે.

સંસ્કાર જો કોઈ દિશમાં આપવા જ પડે તો જ! અને આપવાનું મુલ્ય અને ગુણવત્તા પણ ખુબ જરૂરી થઇ રહે છે.

મૂળ મુદ્દે સમજી ગયા હશો.

પૂર્ણ વિરામ

#કમલમ


This post first appeared on Balcony Of Wisdom (સમજણ નો ઓટલો), please read the originial post: here

Share the post

બાળકમાં સંસ્કાર સિંચન

×

Subscribe to Balcony Of Wisdom (સમજણ નો ઓટલો)

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×