મુંબઈ પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં જણાવ્યું કે, અભિનેતા શાહરૂખ ખાનની વિરુધ્ધ વર્ષ ૨૦૧૨ માં એક આઈપીએલ મેચ પછી વાનખેડે સ્ટેડિયમમાં થયેલ વિવાદમાં કોઈ ગુનો બનતો નથી. કોર્ટમાં તાજેતરમાં દાખલ એક પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસ પછી જાણવા મળ્યું કે, આ કોઈ સંગીન અપરાધ નથી. એક સ્થાનિક કાર્યકર્તાએ કોર્ટમાં ઘટનાને લઈને એક અંગત ફરિયાદ નોંધાવી છે. તેણે સ્ટેડિયમમાં સુરક્ષા કર્મીઓની સાથે કથિત દુર્વ્યવહાર કેસમાં શાહરૂખની વિરુધ્ધ કાર્યવાહીની માંગ પણ કરી હતી. શાહરૂખ ખાને પોલીસને જણાવ્યું હતું કે, તે દિવસે તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ જીતી હતી અને તેના બાળકો, ફ્રેન્ડ અને તેના મિત્ર મેદાનમાં જતા રહ્યા. સુરક્ષા ગાર્ડ વિકાસ દલવીએ તેમને ત્યાં જવાનું કહ્યું હતું. ખાન અનુસાર, તેમણે દલવીને જણાવ્યું કે, બાળકો તેમની સાથે છે અને તેમને કોઈ હાથ ના લગાવે. તેમના બિઝનેશ મેનેજર બાળકોને સ્ટેડિયમની બહાર લઈ ગયા. અભિનેતાએ પોલીસને જણાવ્યું હતું કે, કોઈએ તેના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તે પોતાનો આપો ખોવી બેઠા હતા.
The post Shah Rukh Khan ને વાનખેડે વિવાદમાં મળી ક્લીનચીટ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here