Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Uttarakhand : ચાર ધામ યાત્રા પર સંકટના વાદળ, આગામી ૩૬ કલાક સુધી ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : Uttarakhand ની ચારધામ યાત્રા પર મોસમે ફરી એક વાર પોતાનો કહેર વર્તાવી દીધો છે. શનિવારે ઉત્તરાખંડમાં ત્રણ જગ્યાઓ પર વાદળ ફાટવાથી આ પ્રસિદ્ધ તીર્થયાત્રા પર સંકરના વાદળ મંડરાવા લાગ્યા છે. વરસાદના કારણે ચાર ધામની યાત્રા પર અસર પડી શકે છે. ઉત્તરાખંડમાં આગામી ૩૬ કલાક સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે. નૈનીતાલ, અલ્મોડા અને દહેરાદુનમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ બદ્રીનાથ અને કેદારનાથમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. કેદારનાથમાં ચાર ધામની યાત્રા પર ગયેલ શ્રદ્ધાળુઓને સેફ ઝોનમાં રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે ઉત્તરાખંડના તેહરી જિલ્લામાં ત્રણ સ્થળોએ વાદળો ફાટતાં ભારે વરસાદ ત્રાટકતા અને ભેખડો ધસી પડતા સેંકડો ઘરોને ભારે નુકસાન થયું છે. આ ઘટનામાં ચારધામની યાત્રા અવરોધાઇ છે અને અનેક શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. જોકે તેમને સલામત સ્થળે લઇ જવાની કામગીરી શરૂ કરાઇ છે. ગંગોત્રી–કેદારનાથ માર્ગ બધં કરી દેવાયો છે. આ ઘટનામાં એક કિશોરનું તણાઈ જતા મોત થયું છે. લોકોને ૨૦૧૩ની ભયાનક હોનારતની યાદ આવી ગઇ હતી. શનિવારે સાંજે કોથિયારા ગામની ઉપર બપોરે ત્રણ વાગે આભ ફાટયું હતું, જેમાં આશરે ૫૦ જેટલાં રહેણાંક વિસ્તારના મકાનો પથ્થર અને માટી નીચે આવી ગયા હતા. ૧૦૦ જેટલાં જાનવરો પણ જીવતા દટાઈ ગયા હતા. આભ ફાટતાં જ લોકો જીવ બચાવવા માટે ઘરમાંથી ભાગવા લાગ્યા હતા. કેમરા અને સિલિઆરા ગામમાં પણ આભ ફાટવાની ઘટના બની હતી. જેમાં સિલિઆરા મોટરબ્રિજ ધોવાઇ ગયો હતો. તેહરી જિલ્લામાં વાદળ ફાટતાં ગંગોત્રી–કેદારનાથ માર્ગ બધં કરી દેવાયો છે. માર્ગને સાફ કરવા માટે બેથી ત્રણ દિવસનો સમય લાગશે. ૨૦૧૩માં ૫૦૦૦ના મોત થયા હતા ઉત્તરાખંડમાં આભ ફાટવાની ઘટના સામાન્ય છે. પરંતુ ૧૬ જૂન ૨૦૧૩ના રોજ આભ ફાટવાને કારણે પૂરની જે સ્થિતિ સર્જાઇ હતી અને જેમાં જાનમાલ અને મિલકતોનું જે જંગી નુકસાન થયું હતું તેને યાદ કરીને લોકો હજુ પણ ફફડી ઉઠે છે. આ ઘટનામાં ૫૦૦૦ થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. મોટાભાગના પીડિતોમાં ચારધામની યાત્રામાં ગયેલાં શ્રદ્ધાળુઓનો સમાવેશ થતો હતો. તે હોનારતના ઘણા સમય પછી ચારધામ યાત્રા ફરી શરૂ કરાઈ હતી. માળખાગત સુવિધા ઊભા કરવામાં કરોડોનો ખર્ચ થયો હતો.

The post Uttarakhand : ચાર ધામ યાત્રા પર સંકટના વાદળ, આગામી ૩૬ કલાક સુધી ભારે વરસાદની આગાહી appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Uttarakhand : ચાર ધામ યાત્રા પર સંકટના વાદળ, આગામી ૩૬ કલાક સુધી ભારે વરસાદની આગાહી

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×