Delhi ના મોતિયાખાનમાં ગત રાતે આંધી-વરસાદમાં મકાનની દીવાલ પડવાથી એક બાળકીનું મોત થઇ ગયું છે. ફ્લાઈટ પર પણ ખરાબ હવામાનની અસર પડી છે. ખરાબ હવામાનના કારણે રાતે ૧૧:૩૦ વાગ્યા સુધી ૨૭ ફ્લાઈટ મોડી પડી હતી અથવા તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. કર્ણાટકથી પાછા ફરી રહેલ વડાપ્રધાન મોદીની ફ્લાઈટ પણ આંધીના કારણે દિલ્હીના નહોતી ઉતરી શકી અને તેમણે જયપુર જવું પડ્યું હતું. વડાપ્રધાન મોદી જયપુર એરપોર્ટ પર પ્લેનમાં જ બેસી રહ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પ્લેનમાં જઈને તેમને મળ્યા હતા. પ્લેન ૯:૨૦ પર જયપુર એરપોર્ટ પર પહોચ્યું હતું અને ૧૧:૨૦ વાગે જયપુરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. દિલ્હીમાં દીવાલ પડવાથી ૧ નું મોત, ૪ ઘાયલ રવિવારે સાંજે આવેલ તેજ આંધીથી રાજધાનીમાં ઘણી જગ્યાએ ઝાડ અને દીવાલો પડવાના સમાચાર આવ્યા છે. મોતીયાખાન વિસ્તારમાં દીવાલ પડવાથી ૧ બાળકીનું મોત થયું છે, જયારે ૪ અન્ય ઘાયલ થઇ ગયા છે. સોમવારે પણ હવામાન ખરાબ જ રહેવાનું અનુમાન છે. તેજ હવાઓ અને ધૂળ ભરેલ આંધી ચાલવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સોમવારે સવારે વરસાદ પણ પડ્યો છે. ઉત્તરાખંડમાં ૬ અને યુપીમાં એકનું મોત આ પહેલા ઉત્તરાખંડના ટિહરી અને ઉત્તરકાશી જીલ્લામાં વાદળ ફાટવાથી છ લોકોના મોત થયા છે. ત્યારે ઉત્તરી રાજ્યો, ઓડીશા અને બિહારમાં છીટપુટ વરસાદ હોવાથી પારો નીચે આવી ગયો હતો. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં વરસાદ દરમિયાન દીવાલ પડી જવાથી એક બાળકનું મોત થઇ ગયું છે. રાજ્યના પૂર્વી ભાગમાં છીટપુટ સ્થાનો પર ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડના ઘણા ભાગમાં આગામી 24 કલાક ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ૯૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન દિલ્હીમાં આંધી અને વરસાદથી રવિવારે પારો નીચે આવીને ૩૧ ડીગ્રી સેલ્સિયસ પર આવી ગયો છે. પાલમ ઓબ્ઝર્વેટરીમાં હવાની ૯૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દાખલ કરવામાં આવી છે. જયારે સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં આ ૫૨ કિલોમીટર પ્રતિ કલાક હતી.
Related Articles
The post Delhi : આંધી વરસાદમાં દીવાલ પડવાથી બાળકીનું મોત, ૨૭ ફ્લાઈટ ડાયવર્ટ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here