Iran ના લોકો માટે આ વર્ષે હજ યાત્રા પર જવું અશક્ય લાગી રહ્યું છે. ઈરાનના મંત્રીએ રવિવારે એ વાત કહી, ઈરાનની સંસ્કૃતિ અને ઇસ્લામી માર્ગદર્શન મંત્રી અલી જન્નાતીએ કહ્યું, એ માનવામાં આવ્યું હતું કે અમે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલ મુદાઓ પર સઉદી અરબના અધિકારીઓએ જવાબ માટે રવિવાર સુધી રાહ જોવી પડશે. સિન્હુઓએ જન્નાતીના હવાલાથી કહ્યું કે ઈરાનના પ્રતિનિધિઓની સાથે સઉદી અરબ પક્ષના શબ્દાડંબર અને તેમના વિક્ષેપથી ખબર પડી છે કે ઈરાનના લોકો માટે આ વર્ષે હજ યાત્રા કરવી અસંભવ છે. તેઓએ કહ્યું કે ઈરાનની હજ અને તીર્થસ્થળ સંગઠન આ પર સોમવારે એક નિવેદન રજુ કરશે. સઉદી અધિકારીઓની સાથે હાલમાં જ ઘણા બધી મુલાકાત બાદ જ ઈરાન, સઉદી અરબની વાતચીત બાદ પણ ઈરાન, સઉદી અરબની સાથે સપ્ટેમ્બરમાં થનારી વાર્ષિક હજ યાત્રામાં સમાવેશ હોવાના લઈને કોઈ કરાર પર પહોચવામાં નાકામ રહ્યા છે. ગયા અઠવાડિયે ઈરાનના વિદેશ મંત્રાલયે સઉદી અરબ પર આ વર્ષે ઈરાનના લોકોની હજ યાત્રામાં અવરોધ લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. સઉદી અરબે કહ્યું કે ઈરાન હજના રાજનીતિકરણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈરાન પોતે જ પોતાના લોકોની હજ યાત્રાની રાહમાં રોડ લગાવી રહ્યા છે. ઈરાન અને સઉદી અરબની વચ્ચે પણ સીરિયા અને યમનના મુદાના લઈને વિવાદ ચાલી રહ્યું છે. સાથે જ સુન્ની બહુલ સઉદી અરબે જાન્યુઆરીમાં પ્રમુખ શિયા ધર્મગુરુ નીમ્ર અલ નીમ્રને ૪૬ બીજાને ફાંસી દેવામાં આવી હતી. આનો વિરોધમાં મોટી સંખ્યામાં ઈરાની રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કેટલાકે તેહરાન અને મશહદમાં સઉદી રાજનયિક મિશનોમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ સઉદી અરબે ઈરાનની સાથે આ હુમલાને લઈને રાજનૈતિક સંબંધ તોડી લીધો હતો. ખાડીના સુન્ની દેશોના શિયા બહુલ ઈરાનની સાથે સંબંધો ઠીક નથી.
Related Articles
The post Iran ના નાગરીકો માટે આ વર્ષે અશક્ય લાગી રહેલ છે હજયાત્રા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here