મનુષ્યના જીવનમાં રંગોનું વિશેષ મહત્વ છે, જે મનુષ્યના જીવનને પ્રેમથી ભરી દે છે. એ જ રીતે વાસ્તુમાં રંગોની પસંદગી જીવનમાં ખુશીઓ ભરી દે છે. ઉત્તર દિશામાં લીલો રંગ, પશ્ચિમ દિશામાં વાદળી રંગ, દક્ષિણમાં લાલ અને પૂર્વમાં પીળા રંગનો પ્રયોગ કરવો ઉત્તમ છે. રંગો ઘરને નવું રૂપ આપે છે અને રંગ કરાવતા ઘરના ખૂણા ખૂણા શોભી ઉઠે છે. આછો લીલો રંગ બાળકોના બેડરૂમ માટે પસંદ કરો. પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ, ઓફિસ વગેરેને દિવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે. પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દિવાલ પર લીલો રંગ કરવો જોઈએ. આસમાની રંગ જળ તત્વને દર્શવે છે. ઘરની ઉત્તરી દિવાલને આ રંગથી રંગાવવી જોઈએ. ઘરની બારી દરવાજા હંમેશા લીલા રંગથી રંગાવો. તેને ડાર્ક બ્રાઉન રંગથી રંગાવવુ સારુ રહેશે. જ્યા સુધી શક્ય હોય ઘરને રંગવા માટે હંમેશા હલકા રંગનો પ્રયોગ કરો.
Related Articles
The post વાસ્તુ પ્રમાણે કરાવો ઘરની દિવાલના રંગો appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here