કહેવાય છે કે ઘરમાં કે ઘરની આજુબાજુ વૃક્ષ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા દ્વારા લગાવેલ વૃક્ષ સારા પરિણામ નથી આપતા. હકીકતમાં તેમાં ઘણાં વાસ્તુ દોષ હોય છે. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરમાં કયું વૃક્ષ લગાડવું જોઈએ અને કયું વૃક્ષ નહીં. સાથે ઝાડ લગાડો પણ ક્યા તે લગાડવા. ઘરની નજીક કાંટાવાળા ઝાડ શત્રુતા પેદા કરે છે. આ ઉપરાંત દૂધ ધરાવતા ઝાડ ધનનો નાશ કરે છે. વાસ્તુ રાજવલ્લભ પ્રમાણે કેળ, કેતકી, ચમેલી, ચંપાના છોડ ઘરની પાસે હોય તો શુભ માનવામાં આવે છે પરંતુ એક પહોર વીત્યા પછી આ તમામનો છાંયડો પડવા લાગે તો આને અશુભ માનવામાં આવે છે. ત્રીજા પહોર પછી તેની છાયા પડે તો એટલું અશુભ નથી માનવામાં આવતું. વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી જાય છે. આનાથી કેટલાયે પ્રાણીઓને જીવન મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષોનો મનુષ્યની સાથે સંબંધ નિરૂપિત કરવામાં આવ્યો છે. વૃક્ષારોપણ હેતુ ઉત્તરા, સ્વાતિ, હસ્ત, રોહિણી અને મૂળ નક્ષત્ર વધારે શુભ હોય છે. આ દરમિયાન રોપવામાં આવેલ છોડ નિષ્ફળ નથી જતાં. શુભ વૃક્ષ નાગ કેસર, મોલ શ્રી, સાલ, પુન્નગ, ચમેલી, જયન્તી, ચંદન, અપરાજિતા, ગુલાબ, કેતકી, ચંપો નારિયેળ વગેરે શુભ માનવામાં આવે છે. અશુભ વૃક્ષ ગુલમહોર, લીંમડો, પીપળ, આંબલી વગેરેના લાકડાં ઘરમાં ન લાવવા જોઈએ કારણ કે, આને અશુભ માનવામાં આવે છે.
Related Articles
The post જાણો…. Vastu Shastra પ્રમાણે વ્રુક્ષોનું મહત્વ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here