ભોજનને વધુ મસાલેદાર અને રંગ આપવા માટે ઉપયોગ કરવામાં આવતી હળદર હાર્ટ અટેક જેવી તકલીફથી બચાવવા માટે ઉપયોગી છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા અને ખૂબસુરતીને વધારવા માટે ઉપયોગ કરવામાં આવતી હળદરના અન્ય ઘણા ફાયદોઓ પણ છે. હૃદયરોગના દર્દીઓ માટે હળદર ફાયદાકારક થાઈલેન્ડમાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાઈપાસ સર્જરી કરાવી ચુકેલી હૃદયરોગના દર્દીઓ માટે હળદર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને હાર્ટ અટેકથી બચાવી શકે છે. બાઈપાસ સર્જરી દરમિયાન લોહીના પ્રવાહની અછતના કારણે ઘણી તકલીફ થાય છે. આનાથી હૃદયની પેશીઓ નબળી પડી જાય છે. આનીથી હાર્ટ અટેકની શંકા વધી જાય છે. હળદરમાં અનેક તત્વો છે જે આ ખતરાનો સામનો કરવામાં ઉપયોગી છે. હળદરની કેપ્સુલ લેનારાઓમાં હાર્ટ અટેકનો ખતરો ૬૫ ટકા ઘટયો અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થિત એન્ડરશન કેન્સર રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ઘણા પરિણામ જાણવા મળ્યા છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે હળદર હાર્ટ અટેકથી બચાવવામાં ઉપયોગી છે. અભ્યાસના ભાગરૂપે થાઈલેન્ડમાં બાઈપાસ સર્જરી કરાવી ચુકેલા ઘણા દર્દીઓએ ભાગ લીધો હતો. અભ્યાસના ભાગરૂપે અડધાથી વધુ લોકોને દિવસમાં ચાર વખત હળદરના તત્વો ધરાવતા કેપ્સુલ આપવામાં આવ્યા હતા. જયારે અન્ય લોકોને બીજી દવાઓ આપવામાં આવી હતી. થોડાક દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. અમેરિકન જરનલ દ કાર્ડીઓલોજીમા આ શોધના પરિણામ રજુ કરવામાં આવ્યા હતા.એમા જાણવા મળ્યું કે હળદરના કેપ્સુલ લેનાર લોકોમાં હાર્ટ અટેકની આશંકા ઓછી હતી. આમા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હળદરના કેપ્સુલ લેનારાઓમાં હાર્ટ અટેકનો ખતરો ૬૫ ટકા ઘટી ગયો હતો.
Related Articles
The post હળદર હાર્ટ અટેક અટકાવવામા ખૂબ જ ઉપયોગી appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here