ઘર ના મુખ્ય પ્રવેશદ્વાર થી ઉર્જાનો પ્રવેશ થાય છે. પ્રવેશદ્વારનો કોઈ પણ વાસ્તુદોષ ગૃહસ્વામીની પરેશાની નું કારણ હોઈ શકે છે. * પ્રવેશદ્વાર માટે ખાસ બાબતો. - ઘરનું પ્રવેશદ્વાર હંમેશા ઘડિયાળના કાંટાની દિશા અનુસાર ખુલવું જોઈએ. ઘડિયાળના કાંટા વિરુદ્ધ દિશામાં ખૂલતો દરવાજો આપના કાર્યો વિલંબ થવાનું કારણ હોઈ શકે છે. બદલી ના શકાય તો ઉપાય તરીકે દરવાજામાં તાંબાનો કલોકવાઈઝ પિરામિડ એરો લગાડવો. - ઘરના પ્રવેશદ્વાર પાસે ઉંબરો જરૂર લગાડો. આ ઉંબરાને સ્વસ્તિક તેમજ લક્ષ્મી પગલાથી સુશોભિત કરો. ઉંબરો હમેશા લાકડાનો કે સફેદ માર્બલનો બનવો. ઉંબરામાં કાળો પત્થર ક્યારે પણ ના લગાડવો. ઉંબરા નીચે તાંબાના ડોર પિરામિડ લગાવવા. - નકારાત્મક ઉર્જા થી ભવનનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે જેથી તેના દુષપરિણામો થી બચી શકાય. ઘણી વખત નકારાત્મક અભિગમ થી પ્રવેશ કરનારી બહારની વ્યક્તિ, ઘરમાં અશુભ ઉર્જાની ઉપસ્થિતિનું કારણ હોઈ શકે છે. તેવી સ્થિતિમાં દરવાજા ઉપર તાંબાનો સ્વસ્તિક પિરામિડ લગાવવાથી અશુભ ઉર્જા થી બચી શકાય. - તમારો દરવાજો ૯૦ ડીગ્રી ખુલવો જોઈએ મતલબ દરવાજા પાછળ કોઈ વસ્તુ ના રાખવી. અડધો ખૂલતો દરવાજો જીવનમાં સીમિત તકો નો નિર્દેશ કરે છે. - ઘરનો મુખ્ય દરવાજો બાકીના દરવાજા કરતા મોટો હોવો જોઈએ. - મુખ્ય દરવાજાની લાઈનમાં ત્રણ દરવાજા ના હોવા જોઈએ. આ એક અશુભ સ્થિતિ ગણાય. ઉપાય તરીકે દરવાજાની વચ્ચે વિન્ડચાઈમ લટકાવવી. - મુખ્ય દરવાજાની સામે ટોઇલેટ ના હોવું જોઈએ. જો હોય તો દરવાજાની દિશા બદલવી. અથવા દરવાજામાં તાંબાનો પિરામિડ પટ્ટી લગાવવી. - મુખ્ય દરવાજાની સામે લીફ્ટ કે ઝાડ ના હોવું જોઈએ. તે તમારી પ્રગતિમાં અવરોધકારક બની શકે છે. ઉપાય તરીકે દરવાજામાં તાંબા નો સ્વસ્તિક પિરામિડ લગાવવો.
Related Articles
The post Vastu પ્રમાણે બનાવો તમારું પ્રવેશ દ્વાર appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here