Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Gujarat માં PM Modi ૧૭ સપ્ટેમ્બરે નર્મદા બંધનું પૂજન કરી લોકાર્પણ કરશે

Gujarat ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપાની પ્રદેશ બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંડયાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં આવી પડેલી અતિવૃષ્ટિની આફત સમયે ગુજરાત સરકાર દ્વારા થયેલી ઉત્તમ સેવાકીય કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યકત કર્યો હતો. તેમજ ભાજપા સંગઠનના પણ સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો કીટનું વિતરણ, સ્વચ્છતા અભિયાન, નિદાન કેમ્પો જેવી રાહત કામગીરીમાં રાત અને દિવસ તન-મન-ધનથી જે ઉત્તમ સેવાકીય કામગીરી કરી તે બદલ સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્ર દ્વારા કરવામાં આવેલી સેવાકીય કામગીરીની માહિતી આપી ભાજપા સંગઠનના પણ સૌ કાર્યકર્તાઓને ઉત્તમ સેવાકીય કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા. પંડયાએ આ બેઠકમાં નક્કી થયેલા આગામી કાર્યક્રમો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાજપાના બુથ સુધીના તમામ કાર્યકર્તાઓ સેવાકીય કાર્યક્રમો થકી સતત પ્રજા વચ્ચે જઈ ભાજપા સરકારોની વિકાસલક્ષી અને લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડતા આવ્યા છે. સંગઠન અને ચૂંટણીલક્ષી આગામી કાર્યક્રમોના રોડમેપ, એક્શન પ્લાન અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણાને અંતે આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, નીચે મુજબના આગામી કાર્યક્રમો દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકોના વિજય સંકલ્પ સાથે જન-જન સુધી પહોંચવાનો એક્શન પ્લાન નક્કી કરાયો હતો.૨૭ ઑગષ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનકી બાત કાર્યક્રમ ગુજરાતના તમામ ૪૮,૦૦૦ જેટલા બુથો પર કાર્યકર્તાઓ જનતા સાથે સમૂહમાં સાંભળશે.

The post Gujarat માં PM Modi ૧૭ સપ્ટેમ્બરે નર્મદા બંધનું પૂજન કરી લોકાર્પણ કરશે appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Gujarat માં PM Modi ૧૭ સપ્ટેમ્બરે નર્મદા બંધનું પૂજન કરી લોકાર્પણ કરશે

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×