દર્શકોને રોમાંસ અને કોમેડીનો પાઠ ભણાવનાર ફિલ્મ 'Bareilly Ki Barfi' ની મીઠાસ હજુ ફીકી પડી નથી. આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મને દર્શકોનો ઠીકઠાક રિસ્પોન્સ મળી રહ્યો છે. બોક્સ ઓફીસના આંકડા પ્રમાણે આ ફિલ્મે પાંચમાં દિવસે ૨ કરોડની કમાણી કરી હતી અને તેની સાથે બરેલી કી બરફીની અત્યાર સુધીની કુલ કમાણી ૧૫.૩૭ કરોડ છે. ફિલ્મની સ્ટોરી બરેલી (ઉત્તર પ્રદેશ) ના રહેવાસી મિશ્રા પરિવારની આસપાસ ફરે છે. નરોત્તમ મિશ્રા (પંકજ ત્રિપાઠી) અને સુશીલા મિશ્રા (સીમા પહવા) ની પુત્રી બિટ્ટી (કૃતિ સેનન) વધારે ફ્રેંક છે. જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવે છે તો તેને અલગ-અલગ પ્રશ્ન કરે છે. જેથી પરેશાન થઇ બીટ્ટી ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે છે. તે સામાન પેક કરી સ્ટેશન પહોચી જાય છે. પરંતુ તેને ત્યાં 'બરેલી કી બરફી' નામનું પુસ્તક મળે છે. જે બરેલીના જ પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) એ લખી છે. બીટ્ટી તે પુસ્તક વાંચે છે અને તેને લાગે છે કે,રાઈટરે તેના વિશે લખ્યું છે. અંતે તે ઘરે પહોચી જાય છે અને પ્રીતમ વિદ્રોહીની તપાસ કરવા લાગે છે. આ કામમાં તે ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) ની મદદ લે છે. ચિરાગ પ્રીતમને શોધી લે છે અને તેને કહે છે કે, બીટ્ટીને પ્રેમ જાલમાં ફસાવ અને પછી છોડી દે. જેથી બીટ્ટી તેને મળી શકે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું ડીરેક્શન સારું છે. ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મનો વીક પોઈન્ટ છે કે, ફિલ્મની સ્ટોરી પ્રિ-ડીકટેબલ છે. જે વધારે સારી થઇ શકી હોત. કૃતિ સેનન ફર્સ્ટ ટાઈમ ડી-ગ્લેમ અવતારમાં જોવા મળી પરંતુ તેની એક્ટિંગ સારી છે. આયુષ્માનનું કામ ઠીકઠાક છે. રાજકુમાર રાવની એક્ટિંગ ઘણીવાર સરપ્રાઈઝ કરે છે.
Related Articles
The post પાંચમાં દિવસે પણ બોક્સ ઓફિસ પર બરકરાર રહી ‘Bareilly Ki Barfi’ ની મિઠાસ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here