ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
Ganeshotsav આડે માત્ર ૨ દિવસ જ બાકી છે. જેને લઈને દરેક જગ્યાએ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તિકાર પ્રતિમાઓને આકાર આપવામાં યુદ્ધ સ્તર પર વ્યસ્ત છે. નાના-મોટા આકારમાં ભગવાન ગણેશજીની હજારો પ્રતિમાઓની તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે બાળ રૂપમાં પણ પ્રતિમાઓને આકાર આપવામાં આવી રહ્યા છે. અને મોટા પંડાલની મૂર્તિઓનું તો ગંતવ્ય સ્થાન પર સ્થાપન પણ કરવામાં આવી રહ્યું છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
ચતુર્થી આવ્યા પહેલા જ દેશભરમાં ગણપતિની પ્રતિમાઓ સજવા લાગી છે. જયારે ગણેશ મંડળો દ્વારા ગણેશજીની વિવિધ થીમ સાથેની પ્રતિમા તૈયાર કરાવવાના આયોજનો થઇ રહ્યા છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
જો કે, સરકારના પ્રતિબંધ અને વધતી લોકજાગૃતિના પરિણામે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વચ્ચે માટીની ગણેશજીની મૂર્તિઓની માંગ વધવાના કારણે આ મૂર્તિઓ તૈયાર કરવાનું ચલણ પણ વધી રહ્યું છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
માટીની મુર્તીઓ પાણીમાં સરળતાથી વિસર્જીત થઇ શકે છે અને પ્રદુષણથી પણ રક્ષણ મળી શકે છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
સિંહાસન, શંખ, ઉંદર, કમળ, ગાય સહિતના વિવિધ સ્થાને બેઠેલા ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
10 દિવસ ચાલતા આ ઉત્સવમાં હજારો ગણેશ પંડાલમાં લાખો- કરોડો રૂપિયાના ચડાવો કરવામાં આવે છે. જેમાં કેટલીક જગ્યાએ તો ચઢાવાનો આંકડો દર વર્ષે હંમેશા વધતો જાય છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
ગણેશોત્સવને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે પણ વિશેષ તૈયારી કરી છે. બજાર,પંડાલ,બસ અને મુંબઈ લોકલમાં સાદા કપડામાં પોલીસ જવાનોને તહેનાત કરાયા છે.ગણેશોત્સવની તૈયારી જોરશોરમાં.....
તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસને તૈયાર રાખવામાં આવી છે. રસ્તાઓ પર ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ ખાસ તૈયારી કરાઈ છે.The post Ganeshotsav આડે માત્ર ગણતરીના દિવસ બાકી, તૈયારી જોરશોરમાં… appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here