આર્થિક વૃદ્ધિ અને ફુગાવાની પ્રવુત્તિમાં આગામી ૬ થી ૧૨ મહિનામાં તેજીની સંભાવના છે અને તેના કારણે રિઝર્વ બેંક નીતિગત દરને યથાવત રાખી શકે છે. આ દાવો નોમુરાનાં એક રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. જાપાનની નાણાકીય સેવા કંપની અનુસાર નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં સોર્સ મુજબ ફુગાવાની નીચે રહેનાર તથા વૃદ્ધિની ચિંતાને જોતા આ મહિનાની શરૂઆતમાં નીતિગત દરમાં ઘટાડો થવા પર આવનાર સમયમાં આરબીઆઈ યથાસ્થિતિ જાળવી રાખી શકે છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એમપીસીનાં મોટાભાગનાં મેમ્બર્સે ઓગસ્ટમાં નીતિગત દરમાં ઘટાદ પક્ષમાં વોટ આપ્યો છે. તેનું કારણ ફુગાવાનાં ઘટાડો તથા વૃદ્ધિની નબળાઈનાં સંકેત હતા. જોકે, આવનાર સમયમાં ફુગાવામાં તેજીની આશંકાને જોતા તટસ્થ નીતિગત વલણ અપનાવ્યું હતું, નોમુરા મુજબ, જુલાઈમાં ફુગાવાના આંકડા પરથી વાતની ખાતરી થઇ છે કે, જૂનમાં તેમાં ઘટાડો આવ્યો અને આવનાર સમયમાં શાકભાજીઓનાં ભાવમાં તેજીનાં કારણે વૃદ્ધિ થવાની આશંકા છે. સાથે જ જીએસટીનું કારણ મૂળ ફુગાવામાં થોડી વધારે ગતિથી તેજી આવી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એમપીસીનાં મોટાભાગના સદસ્યોએ આવાસ ભથ્થા એચઆરએમાં વૃદ્ધિ, કૃષિ લોન માફીથી પડતો નાણાંકીય પ્રભાવ, ૨૦૧૯ માં થનાર ચૂંટણીનો સમય નજીક આવવો તથા ફુગાવા અનુમાનમાં હાલમાં વૃદ્ધિ, શાકભાજીઓના ભાવમાં તેજી તેમજ જીએસટીનાં કારણે મોંઘવારી દરમાં તેજીને રેખાંકિત કરી છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો ઝડપથી વધીને ૧.૮૮ ટકા પર પહોંચ્યો હતો. જે જૂન ૨૦૧૭ માં ૦.૯૦ ટકા હતો. તેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો ખાસ કરીને શાકભાજીઓના ભાવમાં તેજી દેખાઈ છે.
Related Articles
The post આગામી એક વર્ષ સુધી વધશે મોંઘવારી, EMI પણ નહી ઘટે appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here