કોમેડિયન Kapil Sharma ના શોમાંથી ઘણા કલાકાર ગયા પછી હવે નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, શોમાં હવે નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ અર્ચના પૂરણ સિંહ નજર આવશે. વાત એમ છે કે, સિદ્ધુ બીમાર હતા અને તેમને વધારે તાવ હતો. તેવામાં કપિલ શર્માના શોનું રવિવારનું શૂટિંગ રોકાઈ ગયું હતું. પરંતુ કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવાનું વિચાર્યું. આ વાતથી સિદ્ધુ નાખુશ થઇ ગયા અને તેમણે કપિલને ફોન કરી ખરી-ખોટી સંભાળવી. કપિલ શર્માએ સિદ્ધુને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ સાંભળવા માંગતા હતા નહિ. કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમણે આ જગ્યા પર અર્ચના પૂરણ સિંહને સિલેક્ટ કરી. અર્ચના પૂરણ સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, શોના ઓડિયન્સ સિદ્ધુજીને આ ખુરશી પર બેઠેલા જોવા માટે ટેવાયેલા છે. તેમની ખુરશી પર બેસવું વધારે અજીબ લાગે છે. કપિલ શર્માએ મને શૂટિંગના દિવસે બોલાવી તો હું મારા ફ્રેન્ડને ના પાડી શકી નહિ. અર્ચનાએ આગળ કહ્યું કે, હું કપિલના શોમાં થોડા જ એપિસોડમાં નજર આવીશ. જેવી સિદ્ધુજીની તબિયત સુધરી જશે ત્યારે તે ફરીથી આ ખુરશી પર આવી જશે. થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.
The post Kapil Sharma ના શોમાં હવે અર્ચના પૂરણ સિંહની હસીથી ગુંજશે મંચ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here