મોદી સરકારે પર્વતીય રાજ્યોમાં ભારે ભરખમ 27,413 કરોડ રૂપિયાનાં ઔદ્યોગિક પેકેજની ભેટ આપી છે. આ પેકેજ હેઠળ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય રાજ્યોમાં ઉદ્યોગોને માર્ચ ૨૦૨૭ સુધી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં રાહતની સુવિધા મળતી રહેશે. જોકે, ઉદ્યોગોને આ સુવિધા રીફંડનાં રૂપમાં મળશે. ૧ જુલાઈથી લાગુ થયા બાદ આ રાજ્યોમાં આવતા ઉદ્યોગોને પરોક્ષ કરમાં રાહત આપવાની સુવિધાને લઈને સ્થિતિ સ્પષ્ટ ન હતી. જોકે, સરકારે હવે આ પગલું ઉઠાવ્યું છે, જેનાથી પૂર્વેત્તરનાં આઠ પ્રદેશો સહિત કુલ ૧૧ રાજ્યોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલ કેબીનેટની બેઠકમાં આર્થિક મામલા સંબંધી સમિતિની બેઠકમાં આ આશયનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું છે કે, કાયદાનાં ફેમવર્કની મર્યાદામાં ઉદ્યોગોને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી ટેક્સ રીફંડની સુવિધા મળી રહેશે. સરકાર પોતામ્ના બજેટની રકમની ફાળવણી કરીને તેને રાજ્યોમાં આવતા ઓદ્યોગિક એકમોને રીફંડ જરી કરશે. જે રાજ્યોને આ સુવિધા મળશે, તેમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘલાય, અસમ. મિઝોરમ , મણીપુર, નાગાલેંડ અને ત્રિપુરા પણ સામેલ છે. ઓદ્યોગિક એકમોને આ મદદ જે તારીખથી તેઓએ વ્યવસાયિક ઉત્પાદન શરુ કર્યું છે, ત્યાર બાદ દસ વર્ષની અવધિમાંથી બાકીનાં સમય માટે કરવામાં આવશે. ઓદ્યોગિક નીતિ તેમજ સંવર્ધન વિભાગ આ યોજનાં વિસ્તૃત દિશાનિર્દેશ જલ્દી જ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, કાયદા હેઠળ પરોક્ષ રીતે રાહતની જોગવાઈ નથી. જોકે, જો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર કોઈ ઉદ્યોગને રાહત આપવા માંગે છે તો તે રકમ રીફંડ કરી શકે છે. જેટલીએ કહ્યું છે કે, ઉદ્યોગોને રીફંડની સુવિધા ડીબીટીનાં માધ્યમથી મળશે. આ સુવિધાનો લાભ ૪,૨૮૪ કંપનીઓને મળશે. તેના માટે સરકારે ભારે ભરખમ ૨૭,૪૧૩ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રકમ ૧ જુલાઈ ૨૦૧૭ થી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી માટે ઉપલબ્ધ રહેશે. જીએસટી લાગુ થયા પહેલા તે ઉદ્યોગોને કેન્દ્રીય ઉત્પાદ શુલ્કમાં રાહતનો લાભ હાંસલ હતો. સરકાર આ યોજના ૨૦૧૭ થી ચલાવી રહી છે.
Related Articles
The post આ રાજ્યોમાં ઉદ્યોગોને મળશે ૧૦ વર્ષ સુધી GST થી રાહત appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here