Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ભારત સામેની વનડે સીરીઝ માટે Sri Lanka ટીમનું એલાન

સીનીયર બેટ્સમેન ઉપુલ થરંગા રવિવારે દામ્બુલામાં ભારત સામે શરૂ થનારી પાંચ મેચની વનડે સીરીઝમાં ૧૫ સભ્યની Sri Lanka ની ટીમની આગેવાની કરશે. ઉપુલ થરંગા ભારત સામે ટેસ્ટ સીરીઝમાં છ ઇનિંગમાં માત્ર ૮૮ રન બનાવી શક્યા હતા જેમાં શ્રીલંકાને ૦-૩ થી હારનો સામનો કરવો પડ્યો હતો. એન્જેલો મેથ્યુઝે જુલાઈમાં ઘરેલું ધરતી પર ઝિમ્બાબ્વે સામે મળેલી ૨-૩ ની હાર બાદ વનડે કેપ્ટન છોડી દીધી હતી જેના કારણે આગામી સીરીઝમાં ઉપુલ થરંગાને ટીમની કેપ્ટનશીપ છોપવામાં આવી હતી. એન્જેલો મેથ્યુઝે ટીમ છતાં ટીમના ભાગ રહેશે, ઝડપી બોલર લસિથ મલિંગાની પણ વાપસી કરી છે. ઝિમ્બાબ્વે સામે અંતિમ વનડે રમનારી શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઝડપી બોલર નુઆન પ્રદીપ અને ઓલરાઉન્ડર એસેલા ગુણારત્ને ઈજાના કારણે બહાર છે જેની જગ્યાએ યુવા ઝડપી બોલર લાહિરુ કુમારા અને ડાબા હાથના સ્પિનર મલિંન્દા પુષ્પકુમારને સામેલ કરવામાં આવ્યા છે જે તાજેતરમાં ભારત સામે ટેસ્ટ સીરીઝમાં રમ્યા હતા. શ્રીલંકાએ ભારત સામે અંતિમ વનડે સીરીઝ નવેમ્બર ૨૦૧૪-૧૫ (ભારતમાં) રમી હતી જેમાં તેને ૦-૫ થી હાર મળી હતી. શ્રીલંકા વનડે ટીમ આ પ્રકારે છે : ઉપુલ થરંગા (કેપ્ટન), એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, ધનુષ્કા ગુણતિલક, કુશલ મેન્ડીસ, ચામરા કપુગેદરા, મલિંન્દા પુષ્પકુમાર, અકિલા ધનંજય, લક્ષણ સંદાકન, થિસારા પરેરા, વાનીનડુ હસારંગા, લસિથ મલિંગા, દુષ્મુતા ચામીરા, વિશ્વ ફર્નાન્ડો.

The post ભારત સામેની વનડે સીરીઝ માટે Sri Lanka ટીમનું એલાન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ભારત સામેની વનડે સીરીઝ માટે Sri Lanka ટીમનું એલાન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×