Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

કોન બનેગા કરોડપતિ શોના કારણે બંધ થશે આ સીરીયલ, દર્શકોનો વિરોધ!

અમિતાભ બચ્ચનના રિયાલીટી શો 'કોન બનેગા કરોડપતિ' ના કારણે ફેમસ ટીવી શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' બંધ કરવામાં આવ્યો છે. તેનો લાસ્ટ એપિસોડ ૨૫ ઓગસ્ટે આવશે. જ્યારે આ ચેનલ પર આવનાર અન્ય ફેમસ શો 'બેહદ' નું પ્રસારણ ચાલુ રહેવાની આશા છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, બેહદનો આ મહિને લાસ્ટ એપિસોડ ટેલીકાસ્ટ થવાનો હતો પરંતુ હવે એવું થશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, ચેનલને સિરીયલ 'બેહદ' માંથી વધારે ટીઆરપી મળવાની સંભાવના છે. તેવામાં 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ને બંધ કરવાના નિર્ણયથી બધા હેરાન છે. આ ફેરફારની પાછળનું કારણ છે આ ચેનલ પર બહુ જલ્દી શરુ થવાનો છે શો 'કોન બનેગા કરોડપતિ-9'. તમને જણાવી દઈએ કે, કેબીસીનું રજીસ્ટ્રેશન કેટલાક મહિના પહેલા જ શરુ થઇ ગયું છે. મહાનાયકનાં શો કેબીસીને લઈને દર્શકોમાં ઘણો જ ઉત્સાહ છે અને તેઓ ઈચ્છે છે કે, શો જલ્દી જ ટીવી પર આવે જેથી તે પોતાના પસંદગીનાં શોનો આનંદ ઉઠાવી શકે. હવે 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ના દર્શકો સીરીયલ બંધ કરવાનો વિરોધ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આશી કુમાર નામના વ્યક્તિએ ટ્વીટર પર એક પીટીશન ક્રિએટ કરી છે. તેના પર બે દિવસમાં પાંચ હજાર લોકોએ તેને સાઈન કર્યું છે. તેઓ આ શો બંધ થવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, તેના એપિસોડ આગળ વધારવામાં આવે. આ કિસ્સામાં શોના પ્રોડ્યુસર યશ પટનાયકે કહ્યું કે, 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ના ફેન બેઝ ઓનલાઈન વધારે છે. પરંતુ અમે ઈચ્છે છીએ કે, તેને દર્શક ઓનલાઈન નહિ પરંતુ ટીવી પર જોવે. દર્શકોએ તેને ૧૮ મહિના સુધી એન્જોય કર્યો છે પરંતુ હવે આ શોની ટીઆરપી ડાઉન થઇ રહી છે. ઘટતી ટીઆરપી જોઈ ચેનલે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

The post કોન બનેગા કરોડપતિ શોના કારણે બંધ થશે આ સીરીયલ, દર્શકોનો વિરોધ! appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

કોન બનેગા કરોડપતિ શોના કારણે બંધ થશે આ સીરીયલ, દર્શકોનો વિરોધ!

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×