ભારતીય ક્રિકેટર Subramaniam Badrinath એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. બદ્રીનાથે ઘણા લાંબા સમય સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી અને ૧૦૦૦૦ થી વધુ રન બનાવ્યા હતા. બદ્રીનાથ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને આર્સીબી તરફથી પણ રમી ચુક્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બદ્રીનાથનો રેકોર્ડ શાનદાર રહ્યો અને તેમને કુલ ૧૪૫ મેચ રમી હતી. આ મેચમાં તેમને ૫૪.૪૯ ની એવરજથી કુલ ૧૦૨૪૫ રન બનાવ્યા અને ૩૨ સદી ફટકારી હતી. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૫૦ રન રહ્યો હતો. ભારત માટે તેમને અત્યાર સુધી કુલ ૨ ટેસ્ટ મેચ, ૭ વનડે મેચ અને એક ટી-૨૦ મેચ રમી છે. ૩૬ વર્ષના બદ્રીનાથે જણાવ્યું છે કે, પ્રથમ શ્રેણી ક્રિકેટ માટે કુંટુંબથી દુર રહેવું પડે છે, તેની સાથે જ લાંબી યાત્રા પણ કરવી પડે છે એટલા માટે આ સમયે મારો ફોકસ ટી-૨૦ ક્રિકેટ પર છે. ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ તમિલનાડુ પ્રીમિયર લીગમાં ભાગ લઇ રહ્યા છે. ૨૦ વર્ષ સુધી પ્રથમ શ્રેણી ક્રિકેટ રમનાર બદ્રીનાથે આ તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં રન મશીન કહેવામાં આવનાર બદ્રીનાથે આઈપીએલના શરૂઆતી સત્રમાં સતત મહેન્દ્ર સિંહ ધોની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે રમ્યા અને બાદમાં તે રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે રમ્યા હતા. તેમ છતાં આ ખેલાડીનું સંપૂર્ણ ધ્યાન તમિલનાડુની ઘરેલું ટી-૨૦ સીરીઝ તમિલનાડુ પ્રીમિયર લીગ પર છે.
The post Subramaniam Badrinath એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને કહ્યું અલવિદા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here