કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi એ પાર્ટીના અલ્પસંખ્યક નેતાઓ સાથે બેઠકમાં કહ્યું કે, ગીતા, કુરાન અને આસ્થાની દરેક ચીજોનું સમ્માન છે, પરંતુ દેશ સંવિધાનથી ચાલશે. તમને જણાવી દઈએ કે, ડીએમકે નેતા કરુણાનિધિના ૯૪ માં જન્મદિવસના અવસર પર ચેન્નાઈ પહોચેલ Rahul Gandhi એ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપનો મુકાબલો કરવા માટે આજકાલ ઉપનિષદ અને ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે. પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ દિવસોમાં ઉપનિષદ અને ગીતા વાંચી રહ્યો છું, કેમ કે હું આરએસએસ અને ભાજપ સાથે લડી રહ્યો છું. પાર્ટી સુત્રોએ રાહુલ ગાંધીને કહ્યું કે, હું આરએસએસના લોકોને પૂછું છું કે, મારા મિત્રો , તમે આવુ કરી રહ્યા છો, તમે લોકોને દબાવી રહ્યા છો, પરંતુ ઉપનિષદમાં લખ્યું છે કે, દરેક વ્યક્તિ સમાન છે, તો પછી તમે તમારા જ ધર્મમાં કહેવામાં આવેલ વાતને કેવી રીતે નકારી રહ્યા છો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ મૂળભૂત રીતે ભારતને સમજતી જ નથી, તેને માત્ર નાગપુર જ સમજાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના લોકોને લાગે છે કે, આ બધું સાર્વભૌમિક જ્ઞાન વડાપ્રધાન પાસેથી જ આવે છે. આરએસએસ - ભાજપ પર દેશમાં એક જ સમાન વિચાર થોપવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દરેક વ્યક્તિ, ભલે તે તમિલનાડુંમાં હોય કે ઉત્તર પ્રદેશમાં, અસહમતિ જાહેર કરવાનો અધિકાર બધાને છે અને કોઈ એક વિચારને થોપવો સ્વીકાર્ય નથી. તમિલનાડુના લોકો, તેમની ભાષા, સંસ્કૃતિ અને ખાણીપીણીની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અન્ય રાજ્યોની જેમ આ પણ ભારતની તાકાત છે. તેમણે કહ્યું કે, તમિલનાડુ સાથે તેમનો વિશેષ સબંધ છે. તેમણે એ પણ કહ્યું કે, તેમણે તમિલ ફિલ્મ જોવાનું શરુ કરી દીધું છે અને તે તમિલનાડુના લોકોની સંસ્કૃતિ વિષે વાંચે છે. રાહુલ ગાંધીના ગીતા અને ઉપનિષદ વાંચવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ નિશાન સાધતા કહ્યું કે, એનડીએ સરકારના ૧૫ વર્ષ પૂર્ણ થવા સુધી તે યોગા વગેરે કરવાનું પણ શરુ કરી દેશે.
Related Articles
The post ગીતા અને કુરાન એક સમાન, પરંતુ દેશ સંવિધાનથી ચાલશે : Rahul Gandhi appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here