નવી દિલ્હી : Bihar ટોપર કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે કૌભાંડના મુખ્ય આરોપી બચ્ચા રાયને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના જામીનના નિર્ણયને રદ્દ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની ગંભીરતાને જોતા આ સતેજ પર તેને જેલમાંથી મુક્ત ન કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે, Bihar સરકારે બચ્ચા રાયના જામીનને પડકાર આપ્યો હતો. આ પહેલા ૬ માર્ચે સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના જામીનના આદેશ પર વચગાળાના પ્રતિબંધનો આદેશ આપતા મુક્તિ પર રોક લગાવી દીધી હતી અને બિહાર સરકારની અરજી પર બચ્ચા રાયને નોટીસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. અરજીમાં બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને પટના હાઈકોર્ટ તરફથી બચ્ચા રાયને મળેલ જામીનને રદ્દ કરવાની માંગણી કરી છે. આ પહેલા પટના હાઇકોર્ટે બચ્ચા રાયને જામીન આપી દીધા હતા. બચ્ચા રાયને બિહાર ટોપર કૌભાંડના માસ્ટરમાઈન્ડ જણાવવામાં આવ્યા છે. બિહાર સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે, જામીન આપવામાં હાઇકોર્ટે કોઈ ગ્રાઉન્ડનો ઉલ્લેખ નથી કર્યો. બચ્ચા રાયે બિહારના એજ્યુકેશન સીસ્ટમને સવાલોથી ઘેરી લીધી છે. બચ્ચા રાયની જેલમાંથી બહાર રહેવા પર ટ્રાયલ પ્રભાવિત થશે. તેથી તેમના જામીનને રદ્દ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, ૧૪ ફેબ્રુઆરીએ બચ્ચા રાયને પટના હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા હતા. પટના હાઈકોર્ટે કહ્યું હતું કે, ૩૦ દિવસની અંદર ચાર્જફ્રેમ કરવામાં આવે અને જો ૩૦ દિવસમાં ચાર્જફ્રેમ કરવામાં નહિ આવે તો એવી સ્થિતિમાં બચ્ચા રાયને જામીન આપી દેવામાં આવશે. કોર્ટે સરકારને એક મહિનાની અંદર બચ્ચા રાય વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આરોપપત્ર દાખલ કર્યા બાદ જ તેમની જેલમાંથી મુક્તિ થશે.
Related Articles
The post Bihar ટોપર કૌભાંડ : સુપ્રીમ કોર્ટનો નિર્ણય, માસ્ટરમાઈન્ડ બચ્ચા રાયને નહી મળે જામીન appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here