જો તમે Whatsapp યુઝર છો તો તમારા માટે ગુડન્યૂઝ છે. આ એપમાં એક નવું ફિચર 'રિવોક' બહુ જલ્દી આવશે તેવી સંભાવના છે. આ ફીચરથી યુઝર સેન્ડ કરેલ મેસેજને અનસેન્ડ કરી શકે છે અથવા તેને રિકોલ કરી શકે છે. ત્યાં સુધી કે, તે મેસેજ એડિટ કે ડિલીટ પણ કરી શકાય છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિચરનો ઉપયોગ વોટ્સએપમાં ફક્ત મેસેજ મોકલ્યાના 5 મિનિટની અંદર કરી શકાય છે. આ રિપોર્ટની માહિતી સૌથી પહેલા ટ્વીટર યુઝર @WABetaInfo દ્ધારા શેર કરવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ, આ ફિચર વોટ્સએપ વેબ 0.2.4077 માં આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિચર આવવાની ખબર ઘણીવાર સામે આવી છે પરંતુ આ વખતે આ ન્યૂઝથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ ફિચર બહુ જલ્દી લોન્ચ કરવામાં આવશે. તેની પહેલા વોટ્સએપ iPhone માં આ નવું ફિચર જોવા મળ્યું હતું જેથી યુઝર કોઈ કોન્ટેક્ટને મોકલેલ મેસેજને એડિટ અથવા ડિલીટ કરી શકે છે. આ સિવાય એવી પણ ખબર સામે આવી છે કે, એક નવું અપડેટ પણ વોટ્સએપમાં આવી શકે છે. આ ફિચરથી બોલ્ડ, ઇટાલિક અને મોનોસ્પેસ જેવા ફોરમેટિંગ શોર્ટકટ પણ મળી શકશે. વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા યુઝર્સ આ ફિચરનું ટેસ્ટિંગ કરી શકે છે.
Related Articles
The post Whatsapp માં આવશે નવું ફિચર, સેન્ડ કરેલ મેસેજ કરી શકાશે એડિટ કે ડિલીટ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here