Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ST ના કર્મચારીઓની હડતાલ મોકૂફ, સરકાર સાથેની મંત્રણા બાદ લેવાયેલો નિર્ણય

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (ST)ના કર્મચારીઓના વિવિધ મુદ્દાઓને લઈને આજથી શરુ થનારી હડતાલને નિગમના એમડી સાથેની મંત્રણા પછી હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (ST)ના કર્મચારીઓના વર્ષો જૂના વિવિધ પડતર પ્રશ્નો અંગે લાંબા સમયથી નિકાલ આવતો ન હતો. જેના અંતર્ગત ST નિગમના ત્રણેય યુનિયનોની સંકલ સમિતિની પાલનપુર ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં તા. 15 માર્ચથી બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ)ના કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે કર્મચારીઓને છઠ્ઠા પગારપંચની વિસંગતતા, સાતમાં પગારપંચનો અમલ કરવા અંગે, જીપીએસ સિસ્ટમનો દુરુપયોગ, એસટી નિગમનું ખાનગીકરણ, નિગમની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરોને સસ્તા ભાવે આપી દેવા અંગે, કર્મચારીઓને આપવાના થતા આર્થિક લાભો, ડ્રાઈવર-કંડકટરોને આડેધડ કરતા દંડ અંગે સહિતના વિવિધ પ્રશ્નોનો વર્ષોથી નિકાલ કરવામાં આવતો નથી. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ)ના કર્મચારીઓના હડતાલના મામલે આજે નિગમના એમડી વિજય નેહરા અને એસટી નિગમના વિવિધ યુનિયનોના આગેવાનોની એક સમાધાન અંગેની બેઠક યોજાઈ હતી. આ લંબાણપૂર્વકની બેઠકમાં મંત્રણાના અંતે એસટી નિગમના ત્રણેય યુનિયનોના અગ્રણીઓએ હકારાત્મક અભિગમ અપનાવીને હડતાલને મોકૂફ રાખીને હાલ પૂરતી સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

The post ST ના કર્મચારીઓની હડતાલ મોકૂફ, સરકાર સાથેની મંત્રણા બાદ લેવાયેલો નિર્ણય appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ST ના કર્મચારીઓની હડતાલ મોકૂફ, સરકાર સાથેની મંત્રણા બાદ લેવાયેલો નિર્ણય

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×