નવી દિલ્હી : BJP એ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચુંટણી માટે પાર્ટીના અભિયાન હેતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજય એકમમાંથી ૭૨ નેતાઓની યાદી બનાવી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટી પ્રવક્તાઓના નામ છે. પરંતુ યાદીમાંથી એલ.કે.અડવાણીનું નામ જ ગાયબ છે જયારે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું નામ સામેલ છે. ભાજપ નેતાઓએ કહ્યું કે, જોશીએ પાર્ટીની હાલની પરિવર્તન યાત્રા દરમિયાન ઓછામાં ઓછી 6 જનસભાઓને સંબોધિત કરી છે. નોટબંધી બાદ પહેલી વાર રાજ્યમાં ચૂંટણી થશે, એવામાં આ નિર્ણયની ભાજપની ઉમ્મીદો પર શું અસર પડશે, તે જોવાની વાત છે. આ સાથે જ આ નિર્ણયથી ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગ પર જે રોક લાગવાની વાત છે, તેનું પરીક્ષણ પણ થઇ જશે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, ભાજપ યુપીમાં હિન્દુત્વ કાર્ડ ખેલવાનું મન બનાવી ચુકી છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, ભાજપ દરેક સીટ માટે અલગ રણનીતિ તૈયાર કરશે, જેવી રીતે જે ૯૭ સીટો પર બસપાએ મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપી છે તેના પર રણનીતિ બાકી સીટોથી અલગ હશે. ભાજપ નેતાઓનું માનીએ તો તે કોંગ્રેસને દોડમાં નથી જોઈ રહ્યા. તેમણે કોંગ્રેસ- સપા-આરએલડીના સંભવિત ગઠબંધનથી પણ કોઈ ખાસ ફરક નહિ પડે. તો પણ ભાજપને જે ચિંતા છે તે એ વાતની છે કે, મુસ્લિમ વોટ સપા અને બસપામાં ક્કેવી રીતે વહેચાઈ જાય. ત્યારે જો કોંગ્રેસની વાત કરીએ તો તે કોઈ પણ રીતે ગઠબંધન કરીને પોતાને બચાવવા ઈચ્છે છે. શીલા દીક્ષિતે પણ સપા સાથે સંભવિત ગઠબંધન પર નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશ - સાત તબક્કામાં યોજાશે મતદાન પ્રક્રિયા : પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું મતદાન ૧૫ ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કામાં ૬૯ સીટો માટે ૧૯ ફેબ્રુઆરીએ થશે મતદાન ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ થશે મતદાન પાંચમા તબક્કામાં ૫૨ સીટો માટે ૨૭ ફેબ્રુઆરીએ થશે મતદાન છઠ્ઠા તબક્કામાં ૪૯ સીટો માટે ૪ માર્ચે થશે મતદાન સાતમાં તબક્કામાં ૪૦ સીટો માટે ૮ માર્ચે થશે મતદાન
Related Articles
The post BJP ની ૭૨ નેતાઓની યાદીમાંથી અડવાણી ગાયબ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here