Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Pakistan એરલાઈન્સ નું વિમાન એબટાબાદમાં ક્રેશ, ૪૭ મુસાફર હતા સવાર

Pakistan એરલાઈન્સનું ચિત્રાલથી ઇસ્લામાબાદ જઈ રહેલું વિમાન એબટાબાદમાં ક્રેશ થયું છે.જેમાં ૪૭ મુસાફર સવાર હતા. આ વિમાને એર ટ્રાફિક કન્ટ્રોલ પરથી સંપર્ક ગુમાવી દીધો હતો અને વિમાન લાપતા બન્યું હતું. જો કે થોડા સમય બાદ મળેલા સમાચાર મુજબ આ વિમાન એબટાબાદમાં ક્રેશ થયું છે. ગ્લોબલ એવિએશન વોચડોગ હેરાલ્ડના જણાવ્યા અનુસાર પીકે- ૬૬૧ એબેટોબાદ નજીક એન્જીન ખામી સર્જાતા ક્રેશ થયું હતું.હવેલીયન નજીક આર્મી અને આર્મી હેલીકોપ્ટર મોકલવામાં આવ્યા છે.એબેટોબાદના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ સમાચાર સાચા છે. માહિતી મુજબ આ વિમાન ચિત્રાલથી ૩. ૩૦ વાગે ઉડાન ભરી હતી અને તે ઇસ્લામાબાદના બેનઝીર ભુટ્ટો હવાઈમથક પર ૪.૪૦ વાગે ઉતરાણ કરવાનું હતું. જો કે તે પૂર્વે વિમાને એર કન્ટ્રોલ ટ્રાફિક સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. અ અંગે પાકિસ્તાન એરલાઈન્સના સ્પોક પર્સને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ વિમાનની શોધખોળ હાથ ધરી છે . તેમજ તમામ સહાય માટે તૈયારીઓ આરંભી દીધી છે.

The post Pakistan એરલાઈન્સ નું વિમાન એબટાબાદમાં ક્રેશ, ૪૭ મુસાફર હતા સવાર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

Pakistan એરલાઈન્સ નું વિમાન એબટાબાદમાં ક્રેશ, ૪૭ મુસાફર હતા સવાર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×