Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જશે સાળંગપુર

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જશે સાળંગપુર

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહમદ પટેલ તથા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે રાત્રે સાળંગપુર સ્વામિનારાયણ મંદિરે જશે. અહમદ પટેલે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ માનવતા માટે હંમેશા કાર્યરત રહ્યા હતા. તેમજ લોકોમાં સદગુણો વિકસે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, , પૂ. પ્રમુખ સ્વામી મહારાજ લાખો ભક્તોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બન્યા હતા. હંમેશા જનકલ્યાણ વિવિધ પ્રવૃત્તિઓને અક્ષર પુરષોત્તમ સ્વામિનારયણ સંસ્થા BAPS ના માધ્યમથી સતત માર્ગદર્શન આપતાં રહ્યાં. સમગ્ર જીવન દરમ્યાન પૂ. સ્વામી મહરાજે લાખો યુવાનોને વ્યસન મુક્તી માટે પ્રેરણાં આપી. સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થવાના સમાચારથી કરોડો ભક્તોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. આપણે સૌ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કંડારાયેલા માર્ગ પર પ્રજાકીય કામો કરીએ. કોંગ્રેસના નેતા અહમદ પટેલની સાથે ભરતસિંહ સોલંકી પણ જશે પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને, વધુ વાંચવા આગળની સ્લાઈડ ક્લિક કરો....

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જશે સાળંગપુર

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કરોડો અનુયાયીઓને જીવન ઘડતરમાં અનેરૂ માર્ગદર્શન આપનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થવાના સમાચાર જ આંચકાજનક છે. શિક્ષાપત્રી અને સતત સહજાનંદ સ્વામીના સ્મરણ સાથે નવયુવાનોમાં વ્યસન મુક્તી માટે સમગ્ર જીવન અર્પણ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. પ્રમુખ સ્વામી મહરાજ શિક્ષણ, આરોગ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હજારો સંતોને દિક્ષીત કરીને માનવ મૂલ્યોનું જતન કર્યું હતું. સમગ્ર જીવન સંતત્વમાં વ્યતીત કર્યું હતું. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના બ્રહ્મલીન થવાથી ભારત દેશે અને ગુજરાતે સંત ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શોકાંજલી – પુષ્પાંજલી અર્પણ કરે છે.

The post પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જશે સાળંગપુર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જશે સાળંગપુર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×