સંવેદનશીલ વ્યક્તિ માટે જીવન બીજા લોકો જેટલું સરળ નથી હોતું. દુનિયા અને તેના વ્યવહાર આવી વ્યક્તિઓને પોતાનાં અસ્તિત્વ વિશે પણ સંશયમાં મૂકી દે છે. આંતરિક, ભાવનાત્મક હરિયાળીની સુંવાળપ સિંચતી વ્યક્તિઓને દુન્યવી બરછટ વ્યવહારો સતત પજવે છે. સામેવાળાની લાગણીઓ વિશે જવલ્લે જ વિચારી શકતા, બેફીકર એવા લોકોની ભીડની વચ્ચે આવી વ્યક્તિઓ એકલતા અનુભવે એ સ્વાભાવિક છે. આવા જ એક હુંફાળા માનવીને તેનાથી અલગ એવી, કોરીકટ દુનિયામાં પોતે છે અને છે તો શું છે તેનાં પ્રશ્નો પરેશાન કરે છે તેની સુંદર અભિવ્યક્તિ માણો તેમજ પોતાનાં પ્રતિભાવો આપવાનું ભૂલશો નહીં.
Related Articles
This post first appeared on Swati's Journal - Short Stories, Motivational Articles And Poetry By Freelance Writer - Swati Joshi, please read the originial post: here