ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પેપ્સિકોની વચ્ચે ૧૧ વર્ષનો જુનો સંબંધ તૂટી ગયો છે. સ્નેક્સ અને કોલ્ડ ડ્રિક્સની આ મોટી કંપનીને એન્ડોર્સમેન્ટના ભાગ અત્યારે વિરાટ કોહલી, બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને પરિણીતિ ચોપરા પર છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ક્રિકેટમાં ધોનીની ઝલક ઓછી થવાના કારણે પેપ્સિકોએ આ મોટો નિર્ણય લીધો છે. પેપ્સિકો ઇન્ડિયાના ઉપ પ્રમુખ વિપુલ પ્રકાશે જણાવ્યું હતું કે, “અમે એક ખુબ જ પ્રતિભાશાળી બ્રાંડ એમ્બેસેડરથી જોડાવાની તક મળી હતી અને ધોની સાથે અમારી ભાગીદારી ઘણી સારી રહી હતી. ભારતના વનડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની પેપ્સિકો સોફ્ટ ડ્રિંકસ અને ચિપ્સની જાહેરાત કરતા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ડીસેમ્બર ૨૦૧૪ માં ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી અને તે હવે માત્ર મર્યાદિત ઓવરની ફ્રોમેટમાં રમે છે. ૨૦૧૪ સુધી મહેન્દ્ર સિંહ ધોની ૧૮ બ્રાન્ડ ચેહરા હતા જે હવે ૧૦ કરતા પણ ઓછા છે.
Related Articles
The post ધોની સાથે ૧૧ વર્ષ જુનો કરાર તોડી પેપ્સિકોએ કોહલીને પસંદ કર્યા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here