Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

સુબ્રહ્મણ્યમ સ્વામીએ એલજી પર સાધ્યું નિશાન, કહ્યું- Kejriwal ની જેમ ૪૨૦ છે નજીબ જંગ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પર નિશાન સાધ્યું છે. મંગળવારે કરવામાં આવેલ ટ્વીટમાં સ્વામીએ Kejriwal અને જંગ બંને પર નિશાન સાધતા જંગને ૪૨૦ કહ્યા છે. સ્વામીએ ટ્વીટમાં લખ્યું કે, મારા વિચાર અનુસાર દિલ્હીની જંગ આટલી મોટી પોસ્ટ માટે યોગ્ય નથી. તે કેજરીવાલની જેમ જ ૪૨૦ છે. દિલ્હી માટે પણ અમારે સંઘનો જ કોઈ વ્યક્તિ જોઈએ. સ્વામીને હાલમાં જ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પહેલા સ્વામીએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનને નિશાન બનાવ્યા હતા. સ્વામીએ રાજનના ભારતીય ન હોવાની વાત કહીને વડાપ્રધાન નરેન્દ્રને તેમને હટાવી લેવાનું કહ્યું હતું. સ્વામીએ વડાપ્રધાન મોદીને એક ચિઠ્ઠી પણ લખી હતી. જો કે, રાજનનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાનો છે અને તેમની જગ્યા લેવા માટે ઉર્જીલ પટેલને પસંદ પણ કરી લીધા છે. રાજનના પદ પરથી હટી ગયા બાદ સ્વામીએ કહ્યું હતું કે, તે વધુ ૨૭ લોકોની પોલ ખોલશે. સ્વામીએ નાણા મંત્રી અરુણ જેટલી અને મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યમ સ્વામીને પણ નિશાન પર લીધા હતા. સ્વામીથી વિરુદ્ધ વડાપ્રધાન મોદીએ રાજનના કામ સારું ગણાવતા તેમનો બચાવ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, જે લોકો રાજનના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમને કહેવા ઈચ્છું છું કે, રઘુરામ રાજનની દેશભક્તિ અમારી કોઈ પણ દેશ્ભાક્તિથી ઓછી નથી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નજીબ વચ્ચે થનાર જંગ વિષે દરેકને ખબર હતી.

The post સુબ્રહ્મણ્યમ સ્વામીએ એલજી પર સાધ્યું નિશાન, કહ્યું- Kejriwal ની જેમ ૪૨૦ છે નજીબ જંગ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

સુબ્રહ્મણ્યમ સ્વામીએ એલજી પર સાધ્યું નિશાન, કહ્યું- Kejriwal ની જેમ ૪૨૦ છે નજીબ જંગ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×