Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

પુરાવા વિના Iraq માં લાપતા ૩૯ ભારતીયોને ન જાહેર કરી શકાય મૃત: સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી: ઈરાક (Iraq)માં લાપતા થયેલા ૩૯ ભારતીયોને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના જૂના બયાનને ટાંકીને કહ્યું હતું કે અમારો તેમની સાથે સીધો સંપર્ક નથી. જે દાવાઓ થયા છે તે પછી અમે તપાસ વધુ સઘન બનાવી છે, જેના પછી અમને ત્યાં કોઈ લોહીના ધબ્બા કે લાશો મળી નથી. અમે ઈરાક (Iraq)ના મોસુલની આસપાસ પણ તપાસ કરી છે પરંતુ તેમનો કોઈ સુરાગ કે પુરાવો નથી મળ્યો. જેના કારણે કોઈ પણ મજબૂત પુરાવા વિના અમે તેમના મોતની પુષ્ટિ કરી શકીએ નહીં. સુષ્મા સ્વરાજે કહ્યું કે, મેં દર વખતે મારા બયાનમાં કહ્યું છે કે અમારો તેમનો કોઈ સીધો સંપર્ક નથી. આ ઘટના અમારી સરકાર બન્યાના ૨૦ દિવસ પછી બની છે. હું હરજીત સિંહના દાવાઓને શું કામ માનું? જેમાં તેઓએ કહ્યું કે મોસુલની આસપાસના બધા ૩૯ ભારતીયો માર્યા ગયા છે. કોઈ પણ પુરાવા વિના આવું કરવું પાપ છે. ઈરાક (Iraq)એ પણ કોઈ પુરાવા નથી આપ્યા કે તે ભારતીયો માર્યા ગયા છે. વિદેશ મંત્રીએ કહ્યું છે કે, જ્યાં સુધી તમામ લાપતા લોકોના મૃત્યુની પુષ્ટિ ન થઈ જાય ત્યાં સુધી તેમની ફાઈલ બંધ કરી શકીએ નહીં. મેં આ મામલામાં ક્યારેય કોઈને ગુમરાહ નથી કર્યા, જો હું કોઈને ગુમરાહ કરતી તો મને તેનું શું મળે?

The post પુરાવા વિના Iraq માં લાપતા ૩૯ ભારતીયોને ન જાહેર કરી શકાય મૃત: સુષ્મા સ્વરાજ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

પુરાવા વિના Iraq માં લાપતા ૩૯ ભારતીયોને ન જાહેર કરી શકાય મૃત: સુષ્મા સ્વરાજ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×