Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

અમરનાથથી પરત આવી રહેલા Army ના જવાનોએ પોલીસ કર્મીઓને માર્યા, છ ઘાયલ

શ્રીનગર: અમરનાથ યાત્રાની સુરક્ષામાં લાગેલા સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મચારીઓ વચ્ચે મારપીટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારીઓ સાથે સેનાના જવાનોએ મારપીટ કરી છે, જેમાં છ પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે. એવી પણ માહિતી મળી છે કે આ ઘર્ષણ દરમિયાન જવાનોએ પોલીસ સ્ટેશનને પણ ઘણું નુકશાન પહોંચાડ્યું છે. આ ઘટના ગંદરબાલના ઉત્તરી જિલ્લામાં સ્થિત ગુંડ ગામમાં બની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ Army (સેના)ની ૨૪ રાષ્ટ્રીય રાયફલના આશરે 30 જવાન ગુંડ પોલીસ મથકમાં ઘુસી આવ્યા હતા અને પોલીસ કર્મીઓની સાથે જોરદાર મારપીટ કરી હતી, આ ઉપરાંત પોલીસ સ્ટેશનને પણ નુકશાન પહોંચાડ્યું હતું. એક પોલીસ કર્મચારીના જણાવ્યા મુજબ સેનાના જવાન સિવિલ ડ્રેસમાં હતા અને પોલીસવાળાઓ દ્વારા સમય પૂરો થયા પછી બાલાતલથી ગંદરબાલ જતા રોકવાના કારણે તેઓ નારાજ હતા. બાલાતલ શ્રીનગરથી ૯૩.૫ કિલોમીટર દૂર છે. આર્મીના જવાનો અમરનાથથી પરત આવી રહ્યા હતા, પરંતુ સોનમર્ગ પાર કરવા માટે તેઓ નિયત સમય કરતા મોડા આવી રહ્યા હતા. જવાનોને સોનમર્ગમાં રોકવામાં આવતા પોલીસ ચોકીને નુકશાન પહોંચાડ્યું હતું, ત્યાર બાદ જયારે તેઓની સાથે અન્ય સાથીઓ પણ આવી ગયા તો તે બધા ગુંડ પહોંચી ગયા અને પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ પણ શરુ કરી દીધી છે.

The post અમરનાથથી પરત આવી રહેલા Army ના જવાનોએ પોલીસ કર્મીઓને માર્યા, છ ઘાયલ appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

અમરનાથથી પરત આવી રહેલા Army ના જવાનોએ પોલીસ કર્મીઓને માર્યા, છ ઘાયલ

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×