વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ સમાજવાદી પાર્ટીમાં માહાભારત શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યું. ચૂંટણી બાદ શિવપાલના નવા નિવેદનથી સમાજવાદી પાર્ટી અને પરિવારમાં આગ લાગી ગઈ છે. શિવપાલે શાબ્દિક પ્રહાર કરતા પાર્ટીમાં એક વાર ફરીથી તિરાડ પડવાના સંકેત મળી રહ્યા છે. શિવપાલ યાદવે ૧૫ જુને સેક્યુલર પાર્ટી બનાવવાની વાત કહી છે. ઇટાવા સિંચાઈ વિભાગના ડાક બંગલાના પૂર્વ કેબીનેટ મંત્રી અને જસવંતનગરના ધારાસભ્ય શિવપાલ સિંહે કહ્યું કે, અમે પાર્ટીનું બંધારણ વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પરંતુ પાર્ટીના જે શકુની અને કથિત બંધારણ રચયિતા છે. તેમણે ચુંટણીમાં ટીકીટ વહેચી જેનાથી અમારી સીટ ૪૭ પર જ રહી ગઈ અને પૂર્વ સીએમને મારું કહેવું છે કે, તે નેતાજીને રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ આપે, પાર્ટી નેતાજીએ બનાવી છે, અમે બંધારણ વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પરંતુ શકુનીએ જરૂર વાંચ્યું છે અમે ગીતા વાંચી છે, હવે શકુની પણ ગીતા વાંચે. અમે સેક્યુલર પાર્ટી બનાવવા માટે ૩ મહિનાનો સમય આપ્યો છે. પૂર્વ સીએમને મારું કહેવું છે કે, પૂર્વમાં કરવામાં આવેલ વાયદા નિભાવો અને રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ નેતાજીને સોંપે. જો આવું અહી થાય તો ૧૫ જુન સુધી સેક્યુલર પાર્ટી બનાવી દઈશું.
Related Articles
The post શિવપાલના નવા નિવેદનથી પાર્ટીમાં સનસની, Shivpal Yadav ૧૫ જુને બનાવશે નવી પાર્ટી appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here