અમેરિકી સંસ્થા ધ સ્ક્રિપ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટના એક અધ્યયનમાં ચોંકાવનાર હકીકત સામે આવી છે. સંસ્થાએ આ કારણો શોધવાનો દાવો કર્યો છે, જેના કારણે Office માં લંચ કર્યા બાદ ઊંઘ આવે છે. ધ સ્ક્રિપ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટના શોધકર્તા વિલિયમ જા અને તેમની ટીમ અનુસાર, Office માં લંચ બાદ ઊંઘ આવવાના કિસ્સા બહુ સામાન્ય છે. ઓફીસમાં કામ કરનાર લગભગ દરેક વ્યક્તિ તેમાંથી છે. એવામાં સંસ્થાએ ઓફીસ અને ઊંઘ વચ્ચે સબંધ અને તેના કારણો શોધવાનું વિચાર્યું અને હકીકત સામે આવી, તે બહુ જ ચોંકાવનાર છે. સંશોધનકર્તાઓએ કહ્યું છે કે, ઓફીસમાં લંચ બાદ ઊંઘ આવવા માટે મીઠું, ખાંડ અને પ્રોટીનયુક્ત ખાવાનું જવાબદાર છે. મસલન, પનીર, ચીજ, સી-ફૂડ, દાળ, નાસ્તા, મીઠાઈ વગેરે. જેને સ્લીપર્સ પણ કહેવામાં આવે છે., જે ખાધા બાદ બહુ જ ઊંઘ આવે છે. જો કે, આવું એટલા માટે થાય છે કેમ કે તેનું સેવન કાર્ય બાદ આપણા શરીરની નસોમાં ખેંચાણ ઓછું થાય છે. ઓફીસમાં કર્મચારી સામાન્યરીતે મીઠું, ખાંડ અને પ્રોટીનયુક્ત ચીજો વધુ ખાય છે જેનાથી અમને મીઠી ઊંઘ આવે છે. કેમ આવું થાય છે? ખાવાનું ખાધા બાદ પાચન ક્રિયા શરુ થઇ જાય છે. એવામાં અમારા પેટને પાચન ક્રિયા કરવા માટે વધારે લોહીની જરૂર પડે છે. જેની ભરપાઈ કરે છે અમારું દિમાગ. આ કારણે દિમાગમાં લોહીની માત્રા ઘટી જાય છે અને તેના કારણે તેમની ક્રિયાશીલતા પણ થોડી ધીમી થઇ જાય છે અને સુસ્તી અને ઊંઘનો અહેસાસ થવા લાગે છે. પ્રોટીનયુક્ત ખાવાનું ખાવાથી એટલા માટે ઊંઘ આવે છે, કેમ કે પ્રોટીનના પાચનમાં વધારે સમય લાગે છે. કેવું લંચ લેવાથી ઓફીસમાં નહિ આવે ઊંઘ - ઓફીસ લંચમાં ભાતના બદલે રોટલી લાવવાની આદત પાડો. ભાત ખાવાથી વધારે ઊંઘ આવે છે. - લંચમાં બટાકા ન ખાવ. બટાકા ગ્લાયસિમિક ઇન્ડેક્સ એટલે કે શરીરમાં બ્લડ શુગર લેવલ વધારી દે છે, જેનાથી ઊંઘ આવે છે. - બિસ્કીટ, દૂધ, બન કે પેસ્ટ્રી વગેરે જેમાં ખાંડ વધારે હોય, તે ન ખાવ. ઓફીસમાં મીઠી ચીજો ખાવાનું ટાળો. - બપોરે હળવું લંચ કરો. સવારમાં ભારે નાસ્તો કરો અને ઓફીસ જાવ. એટલે તમને લંચમાં ઓછી ભૂખ લાગશે અને ખાધા બાદ ઊંઘ પણ નહિ આવે.
Related Articles
The post … તો કારણે Office માં લંચ બાદ આવે છે ઊંઘ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here