સુકમા: ચિંતાગુફાની પાસે બુર્કાપાલમાં નક્સલીઓએ રોડ ઓપનિંગ પાર્ટી ઉપર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં 24 જવાન શહીદ થઈ ગયા છે. જયારે અન્ય ૬ જવાન ઘાયલ થયા છે, જેમાંથી બે જવાનની હાલત ગંભીર ગણાવાય રહી છે. આ ઘટના સોમવારે બપોરે દોઢ વાગે બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ CRPF ની ૭૪મી બટાલિયન રોડ ઓપનિંગની માટે નીકળી હતી. એએસપી જીનેદ્ર શુક્લાએ આ ઘટનાને સમર્થન કર્યું હતું. આ વિસ્તારમાં ઓગસ્ટ ૨૦૧૦માં ૭૬ જવાન શહીદ થયા હતા. આ ઘટના પછી સીએમ રમણસિંહે પોતાનો દિલ્હીનો પ્રવાસ રદ કરી દીધો છે અને તેઓ રાયપુર પરત આવી રહ્યા છે. ઘાયલ જવાનોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે. ઘાયલોના હેમબ્રહ્મ, રામ મેહર, સ્વરૂપ કુમાર, મોહિન્દર સિંહ, જીતેન્દ્ર કુમાર, શેર મોહમ્મદ અને લાટુ ઓરોન છે. જણાવાયું છે કે ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનો ઉપર ફાયરિંગ શરુ કરી દીધું હતું. અચાનક થયેલા આ હુમલાની ચપેટમાં CRPF ના જવાનો આવી ગયા હતા. નક્સલીઓના હુમલા બાદ અન્ય જવાનોએ પણ ફાયરિંગ કરીને નક્સલીઓને વળતો જવાબ આપ્યો હતો. લાંબા સમય સુધી બંને તરફથી ફાયરિંગ ચાલુ રહ્યું હતું. જાણકારોના જણાવ્યા મુજબ જવાનોના ભોજનના સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. નક્સલીઓએ કરેલા અચાનક હુમલાની ચપેટમાં જવાનો આવી ગયા હતા. સૂચના મળતા પછી જવાનોનની મદદ માટે સુકમાથી સીઆરપીએફની બેકઅપ પાર્ટી ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ઘાયલ જવાનોને સુકમા લાવીને હેલિકોપ્ટર દ્વારા જગદલપુર લઈ જવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે જગદલપૂરથી સુકમા માટે એક હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહને પણ લાવવામાં આવી રહ્યા છે. ઘાયલ થયેલાઓમાં ઇન્સ્પેકટર રઘુવીરસિંહના નામની જાણકારી પ્રાપ્ત થઇ છે. બુર્કાપાલથી દોઢ કિલોમીટર અંદર આરઓપી પાર્ટી ઉપર થયેલા નક્સલી હુમલામાં ગંભીર રૂપથી ઘાયલે એક કોન્સ્ટેબલને રાયપુર સારવાર માટે રવાના કરાયા છે. ઘાયલ કોન્સ્ટેબલને ગળામાં ગોળી વાગી છે. તેની હાલત ગંભીર ગણાવાય રહી છે. પોલીસ દ્વારા અન્ડર સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.
Related Articles
The post ચિંતાગુફાની પાસે CRPF ઉપર નક્સલી હુમલો, 24 જવાન શહીદ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here