Sonu Nigam એ આજે સવારે મસ્જિદમાં થનાર અજાન પર એક ટ્વીટ કરી જેનાથી વિવાદ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે, મસ્જિદોમાં સવારે ઊંચા અવાજમાં અજાન થાય છે અને તેના માટે લાઉડ સ્પીકર પણ લગાવવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે, આ અવાજથી બધાની ઊંઘ ઉડી જાય છે. આ વાત પર Sonu Nigam એ ટ્વીટ કરી છે કે, તે મુસ્લિમ નથી પરંતુ મસ્જિદની અજાનના અવાજથી તે કેમ રોજ સવારે ઉઠે. તેની સાથે તેમણે એવું પણ લખ્યું કે, ક્યાં સુધી આપણે આવી ધાર્મિક રીતિઓને જબરદસ્તીથી સહન કરવી પડશે. સોનૂ નિગમની આ ટ્વીટે એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. પોતાની ટ્વીટ પર આવતી કમેન્ટનાં પ્રત્યુત્તરમાં સોનૂ નિગમે લખ્યું કે, જ્યારે મોહમ્મદે ઇસ્લામની સ્થાપના કરી હતી, ત્યારે વીજળી હતી નહિ. પરંતુ એડિસનના આવિષ્કાર પછી આ ઝંઝટની શું જરૂર છે. તેની સાથે સોનૂ નિગમે આવી વાતોને ગુંડાગર્દી જણાવ્યું અને એવું પણ લખ્યું કે, તે મંદિર કે ગુરુદ્ધારાનાં આ કદમને સપોર્ટ કરતા નથી કે વીજળીનો પ્રયોગ કરી તે સવારે-સવારે કોઈની ઊંઘ ખરાબ કરે.
The post મસ્જિદોની અજાનથી ઊંઘમાં પડે છે ખલેલ, બંધ થવી જોઈએ આ ગુંડાગર્દી: Sonu Nigam appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here