નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હિન્દીમાં ભાષણ આપવાની ભલામણનો સ્વીકાર કરી લીધો છે. અધિકારીક ભાષાઓને લઈને બનેલ સંસદીય સમિતિએ આ ભલામણ કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને મંત્રી સહીત દરેક ગણમાન્ય લોકો જો હિન્દી બોલી અને વાંચી શકે તો તેમણે આ જ ભાષામાં ભાષણ આપવું જોઈએ. કમિટીએ ૬ વર્ષ પહેલા હિન્દીને લોકપ્રિય બનાવવા અને આ મુદ્દા પર રાજ્ય-કેન્દ્ર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ લગભગ ૧૧૭ ભલામણો કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિએ તેને સ્વીકૃતિ માટે પ્રધાનમંત્રી કાર્યાલય, દરેક મંત્રીઓ અને રાજ્યોને મોકલી છે. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આ જુલાઈમાં સમાપ્ત થઇ રહ્યો છે. શક્ય છે કે, જે પણ આગામી રાષ્ટ્રપતિ બનશે તે હિન્દીમાં ભાષણ આપશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબીનેટ સાથી હિન્દીમાં જ ભાષણ આપે છે. રાષ્ટ્રપતિ મુખર્જીએ એર ઇન્ડિયાની ટીકીટો પર પણ હિન્દીનો ઉપયોગ કરવાની ભલામણને માની લીધી છે. આ સાથે જ એરલાઈન્સમાં યાત્રીઓ માટે હિન્દી અખબાર અને મેગેઝીન ઉપલબ્ધ કરાવવું પણ સામેલ છે. જો કે, સરકારી ભાગીદારવાળી અને ખાનગી કંપનીઓમાં વાતચીત માટે હિન્દીને જરૂરી કરવાની ભલામણને ઠુકરાવી દેવામાં આવી છે. પરંતુ દરેક સરકારી અને અર્ધ સરકારી સંગઠનોએ પોતાના ઉત્પાદકોની જાણકારી હિન્દીમાં પણ આપવી પડશે. સરકારી નોકરી માટે હિન્દીના ન્યુનતમ જ્ઞાનની જરૂરિયાતની ભલામણને પણ ફગાવી દીધી છે. સંસદીય સમિતિએ સીબીએસઈ અને કેન્દ્રીય વિદ્યાલયમાં ૮ માં ધોરણથી ૧૦ માં ધોરણ સુધી હિન્દીને ફરજીયાત વિષય કરવાની પણ ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિએ તેને સૈદ્ધાંતિક રૂપે માની લીધું છે. આ અનુસાર, કેન્દ્ર એક કેટેગરીના હિન્દી ભાષી રાજ્યોમાં આવું કરી શકે છે પરંતુ એના માટે પણ રાજ્યો સાથે ચર્ચા કરવી પડશે.
Related Articles
The post સરકારની પહેલ : રાષ્ટ્રપતિ, પીએમ અને મંત્રીઓ Hindi માં ભાષણ આપે appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here