ઉર્જા મંત્રી ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ એક લાખ કૃષિ (Agricultural) વિષયક વીજ જોડાણ આપ્યા છે, એટલું જ નહીં ફરી એક વખત આ વર્ષે ફેબ્રુઆરી-ર૦૧૭ સુધીમાં એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણ આપ્યા છે. રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન તળાજાના ધારાસભ્ય શિવાભાઇ ગોહિલના અમરેલી જિલ્લામાં કૂવાઓનું વીજળીકરણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઉર્જા મંત્રી ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કૃષિ (Agricultural) વિષયક વીજ જોડાણને હંમેશાં પ્રાધાન્ય આપે છે. ઉર્જા મંત્રી ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ એક લાખ કૃષિ (Agricultural) વિષયક વીજ જોડાણ આપ્યા છે, એટલું જ નહીં ફરી એક વખત આ વર્ષે ફેબ્રુઆરી-ર૦૧૭ સુધીમાં એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણ આપ્યા છે. સાપરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાંકીય વર્ષમાં અમરેલી જિલ્લા માં વર્ષ ર૦૧પ-૧૬ દરમિયાન કૂવાઓના ર૧૩ વીજ જોડાણ આપવા રૂા.૩૦૪.પર લાખ અને વર્ષ ર૦૧૬-૧૭માં ડિસેમ્બર અંતિત ૧૦ર કૂવાઓના વીજળીકરણ માટે રૂા. ૧પ૭.૬૩ લાખનો મળી કુલ ૩૧પ વીજ જોડાણો માટે રૂા.૪૬ર.૧પ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રી સાપરિયાએ એમ પણ જણાવ્યું હતું કે, જરૂરતમંદ ખેડૂતોને કેટલીક મર્યાદાને ધ્યાને લઇ એક જોડાણ ઉપર બે મોટર વાપરવાની પરવાનગી આપવામાં આવશે એટલું જ નહીં આઠ એકરથી વધુ જમીન ઉપર નિયમોને આધિન જરૂરત હશે તો માંગણી થયે બીજું જોડાણ આપવામાં આવશે, તેવો આ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
Related Articles
The post ફરી એક વખત વર્ષમાં ૧ લાખ Agricultural વીજ જોડાણ આપ્યા: ઉર્જા મંત્રી ચીમન સાપરિયા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here