Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

UP : Yogi ના સમર્થનમાં આવ્યા મુસ્લિમ, રામમંદિર બનાવવા માટે લગાવ્યા બેનર

UP ના અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઈને તેજ થતી કવાયત વચ્ચે મુસ્લિમોએ યોગી આદિત્યનાથનું સમર્થન કર્યું છે. UP ની રાજધાની લખનૌમાં મંદિર નિર્માણને લઈને ઘણી જગ્યાએ હોર્ડીન્ગ્સ અને બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરોની ખાસ વાત એ છે કે, તેને કેટલાક મુસ્લિમ સંગઠનોએ લગાવ્યા છે. આ સંગઠનોએ હોર્ડીન્ગ્સ - બેનરમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બંને પક્ષો સાથે મળીને મામલો ઉકેલવાની અપીલ કરવામાં આવી છે. આવું જ એક સંગઠન 'શ્રી રામ મંદિર નિર્માણ મુસ્લિમ કારસેવક મંચ' ના અધ્યક્ષ આઝમ ખાને લખનૌમાં એવા આશરે ૧૦ હોર્ડીન્ગ્સ લગાવડાવ્યા છે, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર આગળ વધવાનું આહ્વાન કર્યું છે. આ વિષે અમે જયારે આઝમ ખાન સાથે સંપર્ક કર્યો, તો બંદુકધારી ગાર્ડથી ઘેરાયેલ આઝમ ખાને કહ્યું છે કે, રામ હિંદુઓની જેમ મુસ્લિમો માટે પણ આદરણીય છે. મને 'જય શ્રી રામ' કહેવામાં કોઈ વાંધો નથી. આઝમ ખાનનો દાવો છે કે, તેમની સાથે મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. આ લોકો બંને સમુદાયો વચ્ચે સંપ વધારવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. જો કે આ સાથે જ આઝમ ખાન એવું પણ કહે છે કે, તેમને આ કદમ બાદ ઘણી ધમકીઓ મળી રહી છે. આ ઉપરાંત તેઓ કહે છે કે, મને ઈમેઈલ અને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. તે મને આ મુદ્દો છોડવા અથવા તો બાબરી મસ્જીદ ફરીથી બનાવવાના પક્ષમાં બોલવાનું કહી રહ્યા છે. આ સાથે જ તે કહે છે કે, તેમને પૈસાની પણ ઓફર મળી રહી છે. આઝમ ખાન કહે છે કે, તેમણે આ સબંધમાં પોલીસમાં FIR પણ નોંધાવી છે, પરંતુ તેમને પોલીસ તરફથી હજુ સુધી કોઈ સુરક્ષા કવર નથી મળ્યું.  

The post UP : Yogi ના સમર્થનમાં આવ્યા મુસ્લિમ, રામમંદિર બનાવવા માટે લગાવ્યા બેનર appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

UP : Yogi ના સમર્થનમાં આવ્યા મુસ્લિમ, રામમંદિર બનાવવા માટે લગાવ્યા બેનર

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×