દહેરાદુન : આખરે Uttarakhand ના મુખ્યમંત્રીનું નામ જાહેર થઇ ગયું છે. વિધાયક દળની બેઠકમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને Uttarakhand ના મુખ્યમંત્રી પસંદ કરવામાં આવ્યા છે. આવતીકાલે નવી સરકારના શપથગ્રહણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, Uttarakhand ના મુખ્યમંત્રીની રેસમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉપરાંત પિથોરાગઢના વિધાયક પ્રકાશ પંત, ચૌબટ્ટાખાલથી વિધાયક સતપાલ મહારાજ પણ સામેલ હતાં. જો કે, ભાજપના નેશનલ સેક્રેટરી અને જર્નાલિસ્ટ રહી ચૂકેલ ત્રિવેન્દ્ર સિંહ રાવત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નજીકના પણ છે. જેના કારણે સંઘના પ્રદેશ એકમે પણ રાવતના નામ પર મહોર લગાવી દીધી છે. જયારે વર્ષ 2014માં ઝારખંડના ઈન્ચાર્જ બન્યા બાદ તેમના નેતૃત્વમાં રાજ્યમાં ભાજપની પૂર્ણ બહુમતથી સરકાર બની હતી. દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહીત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. Uttarakhand માં વિધાનસભાની ૭૦ સીટ છે. ભાજપને ૫૭ સીટો પર જીત મળી છે. કોંગ્રેસને માત્ર ૧૧ સીટો પર જીત મળી છે. ઉત્તરાખંડ વર્ષ ૨૦૦૦ માં યુપીથી અલગ થઈને અલગ રાજ્ય બન્યું હતું.
Related Articles
The post Uttarakhand ના સીએમ બનશે ત્રિવેન્દ્રસિંહ રાવત, આવતીકાલે લેશે શપથ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here