તાજેતરમાં રીલીઝ થયેલ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર વરુણ ધવનની ફિલ્મ 'Badrinath Ki Dulhania' ને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે ફિલ્મ Badrinath Ki Dulhania એ રીલઝ થયાના એક અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાભરમાં ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મે ગુરુવારે દેશમાં ૫.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેનાથી દેશમાં ફિલ્મની કમાણી ૭૦ કરોડ રૂપિયા સુધી પહોચી ગઈ છે. ફિલ્મ બનાવવાથી લઈને તેના પ્રમોશન સુધી ફિલ્મ પર ૫૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા જે ફિલ્મે પ્રથમ અઠવાડિયામાં કમાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથ કી દુલ્હનિયા' એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી જાણી તમે આશ્ચર્યચકિત થઇ જશો. ફિલ્મ મેકર કરણ જોહર સારી રીતે જાણે છે કે, કઈ ફિલ્મમાં કયા અભિનેતાને લેવો જોઈએ અને કેટલા પૈસા લગાવવા જોઈએ. આ જ કારણ છે કે, કરણ જોહરની ફિલ્મોમાં લોસ થતો નથી. તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ કી દુલ્હનિયા એ શુક્રવાર એટલે કે પ્રથમ દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
Related Articles
The post ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ‘Badrinath Ki Dulhania’ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here