બીલીનું વૃક્ષ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે બીલીના વૃક્ષને ગંગાજલ દ્વારા સિંચન કરવાથી સમસ્ત તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બીલીના પાનમાં ઔષધિ ગુણ પણ સમાયેલ છે. જેના ઉચિત ઔષધિ પ્રયોગ દ્વારા ઘણા રોગોનું નિદાન થઈ શકે છે. બીલીના વૃક્ષને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીનું પ્રતીક છે. સંસ્કૃતમાં બિલ્વપત્ર અને મરાઠીમાં બેલ તરીકે જાણીતા આ ત્રિદલનો આધ્યાત્મિક દૃષ્ટિએ શ્રાવણ મહિનામાં ખૂબ જ મહિમા છે. મહાદેવની પૂજામાં હંમેશાં ત્રિદલ પત્રો જ વપરાય છે. એક પાંદડી ઓછી નહીં, એક પાંદડી વધુ નહીં. આધ્યાત્મિક દૃષ્ટિએ જ નહીં, આયુર્વેદમાં પણ બીલીનાં અનેક ઉપયોગોનો ઉલ્લેખ થયો છે ને એ માત્ર શ્રાવણમાં જ નહીં, બારેમાસ વાપરી શકાય એવા અસરકારક છે. બીલીવૃક્ષના જડમાં શિવલીંગ સ્વરૃપી શિવજીનો વાસ હોય છે.જેથી કરીને બીલીવૃક્ષના મૂળમાં ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. પૂજનમાં વૃક્ષના મૂળ એટલે કે એની જડને સીંચવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે.
Related Articles
The post જાણો બીલીના વૃક્ષનું ધાર્મિક મહત્વ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here