ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં સામેલ થયેલ પૂર્વ ક્રિકેટર Navjot Sidhu ને કોંગ્રેસ ઝટકો આપી શકે છે. Navjot Sidhu ભારે જીત સાથે સત્તામાં આવેલ અમરિંદર સિંહ સરકારમાં ડેપ્યુટી સીએમ બનવા ઈચ્છે છે, પરંતુ અમરિંદર સિંહ તેના માટે ક્યારેય રાજી નથી થયા, એટલે જો તેમનું ચાલશે તો સિદ્ધુને ઝટકો મળી શકે છે. કેપ્ટને કરી દલીલ નવજોત સિંહ સિદ્ધુ વિષે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે, પંજાબની કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ હોઈ શકે છે. પરંતુ સુત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ પોતાના મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમનું પદ નથી ઇચ્છતા. કેપ્ટન અમરિંદર સિંહની દલીલ છે કે, ડેપ્યુટી સીએમનું પદ ત્યારે આપવામાં આવે છે જયારે પાર્ટી પાસે બહુમત ન હોય અને ગઠબંધનમાં કોઈ નેતાને સમ્માન આપવું હોય કે કોઈ અન્ય મજબૂરી હોય પરંતુ પંજાબમાં કોંગ્રેસ ભારે બહુમતથી જીતીને આવી છે અને એવામાં ડેપ્યુટી સીએમના પદની જરૂર નથી. જો કે, સુત્રો અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહ નથી ઇચ્છતા કે, પંજાબ સરકારમાં તેમના સમાનાંતર કોઈને ઉભા કરવામાં આવે, તેના કારણે તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને આલાકમાન આ વાત માનવામાં થોડા અંશે સફળ રહ્યા છે કે, કોંગ્રેસની પંજાબ સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ ન હોવું જોઈએ. મળી શકે છે મોટું મંત્રાલય સુત્રોના જણાવ્યા અનુસાર, નવજોત સિંહ સિદ્ધુને કેબીનેટ મંત્રી તરીકે શપથ અપાવવામાં આવી શકે છે. અને તેમને કોઈ મોટું મંત્રાલય આપવામાં આવી શકે છે. ત્યારે સુત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર, નવજોત સિંહ સિદ્ધુ હજુ પણ લગાતાર કોંગ્રેસ આલાકમાન અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર દબાણ બનાવવા અને ડેપ્યુટી સીએમનું પદ મેળવવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે. હાલમાં નવજોત સિંહ સિદ્ધુ ડેપ્યુટી સીએમ હશે કે નહિ તેના પર નિર્ણય શપથ ગ્રહણ પહેલાની અંતિમ ક્ષણોમાં લેવામાં આવી શકે છે કેમ કે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે ખુદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચંદીગઢ પહોચી રહ્યા છે.
The post Navjot Sidhu ને મળી શકે છે ઝટકો, અમરિંદર સિંહ નથી ઇચ્છતા કોઈ ડેપ્યુટી CM appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here