ગુજરાતમાં અનામતના મામલે Patidar નો ભાજપ સરકાર સામેનો રોષ શમ્યો નથી. તેનો અનુભવ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોમવાર રાતે જૂનાગઢ જિલ્લામાં Patidar યુવાનોએ તેમની કાર ઉપર ઈંડા ફેકાયા ત્યારે થયો હતો. ગુજરાતમાં Patidar સમાજને અનામત આપવાના મામલે છેલ્લા પોણા બે વર્ષ કરતા વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને થાળે પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારેણ પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જયારે અનામત મામલે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો ન હોવાથી પાટીદાર સમાજમાં દિનપ્રતિદિન આક્રોશ વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર સામે પાટીદાર સમાજનો રોષ હજુ શમ્યો નથી તેનો કડવો અનુભવ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગઈકાલે સોમવારે રાતે સોમનાથ જતા સમયે થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી આવતીકાલે સવારે સોમનાથ મહાદેવના મંદિરના દર્શનાર્થે જવાના છે. જેના ભાગરૂપે સોમનાથ મંદિરના ટ્રસ્ટી એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે સોમવારે સોમનાથ જવા નીકળ્યા હતા. સોમનાથ જતા સમયે રસ્તામાં કેશોદ નજીક આવેલા સોન્દરવા ગામ પાસે પાટીદાર સમાજના યુવાનોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે અમિત શાહના કારના કાફલા પર ઈંડાઓ ફેકવામાં આવ્યા હતા. શાહની કાર પર ઈંડાઓ ફેંકીને પાટીદાર યુવાનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાટીદાર સમાજના યુવાનો દ્વારા ફેંકાયેલા ઈંડાઓ અમિત શાહની કાર ઉપર ઈંડા ફેંકવાની ઘટનાથી શાહની સુરક્ષા માટે રહેલો પોલીસ કાફલો પણ હેબતાઈ ગયો હતો. પોલીસ કાફલાએ તાત્કાલિક ધોરણે ગાડીઓના કાચ ઉપર ફેંકાયેલા ઈંડાઓને દૂર કરી કાચને સાફ કરી કાફલો સોમનાથ તરફ રવાના થયો હતો.
Related Articles
The post ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કાર ઉપર પર Patidar યુવાનોએ ઈંડા ફેંક્યા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here