Gujarat પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આવતીકાલે તા. ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિતે ગુજરાતભરમાં ૧૦૦ થી વધુ સ્થાનો પર “તિરંગા યાત્રા” યોજાશે.પ્રજાસતાક દિન નિમિતે પ્રદેશ યુવા મોરચા દ્વારા ગુજરાત ભરમાં દરેક જીલ્લા/મહાનગર માં કુલ ૧૦૦ થી વધુ સ્થાનો પર મોટી સંખ્યામાં યુવાનો ભેગા થઇ બાઈક રેલી સાથે તિરંગાને હાથમાં રાખી, દેશભક્તિનું વાતાવરણ ઉભું કરી, દેશના મહાપુરુષોને યાદ કરી ભાવ વંદના કરશે. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ વડોદરા ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે. આ યાત્રા ભગતસિંહ ચોક-ન્યાય મંદિર થી સાંજે ૦૪.૦૦ કલાકે શરૂ થનારી આ યાત્રા ગાંધીનગર ગૃહ થી ટાવર ચાર રસ્તા થી માર્કેટ ચાર રસ્તા થઈને પાછી ભગતસિંહ ચોક-ન્યાય મંદિર આવશે. આ તિરંગા યાત્રાનું યાત્રાના રૂટ દરમિયાન નાગરિકો દ્વારા સ્વાગત કરાશે.
Related Articles
The post Gujarat ભાજપ યુવા મોરચો આજે ૧૦૦ સ્થળે તિરંગા યાત્રા યોજશે appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here