Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ટી-૨૦ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ કુંબલેએ આપ્યું આ નિવેદન

ભારતીય ટીમના મુખ્ય કોચ અનીલ કુંબલેએ જણાવ્યું છે કે, ભારતીય ટીમ ગુરૂવારે પ્રથમ ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને હરાવી રિપબ્લિક ડે મનાવશે. ઉત્તર પ્રદેશના કાનપુરના ગ્રીનપાર્ક આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પ્રથમ ટી-૨૦ ક્રિકેટ મેચ રમવા પહોંચેલ ભારત અને ઇંગ્લેન્ડની ટીમોએ અહી ખુબ જ અભ્યાસ કર્યો. અનીલ કુંબલેએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગ્રીનપાર્કમાં પ્રથમ ટી-૨૦ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ રિપબ્લિક ડે મનાવશે અને ક્રિકેટ પ્રેમીઓને જીતની ભેટ આપશે. તેમણે દેશવાસીઓને રિપબ્લિક ડે ની શુભકામનાઓ આપી છે. અનીલ કુંબલે જણાવ્યું છે કે, ભારતીય ટીમના બધા ખેલાડી સારા ફોર્મમાં છે. યુવા કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે આ મેદાનમાં ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. વનડે મેચોમાં ઇંગ્લેન્ડથી ૨-૧ થી સીરીઝ જીતી છે. આ જીતીને જાળવી રાખવા ભારતીય ટીમ પ્રથમ વખત ઐતિહાસિક ગ્રાઉન્ડ ગ્રીનપાર્કમાં થનારી પ્રથમ ટી-૨૦ મેચ રમશે. મુખ્ય કોચે જણાવ્યું છે કે, ભારતીય ટીમના માટે આ મેચ વધારે મહત્વની છે. આ મેચ ૨૬ જાન્યુઆરીના દિવસે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ખેલાડી પોતાની જીતને જાળવી રાખતા કાનપુરના લોકોને ભેટ આપશે.

The post ટી-૨૦ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ કુંબલેએ આપ્યું આ નિવેદન appeared first on Vishva Gujarat.



This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here

Share the post

ટી-૨૦ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ કુંબલેએ આપ્યું આ નિવેદન

×

Subscribe to Zika Virus Starting To Appear In U.s.

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×