રાજ્યના ૧૫ જીલ્લાના ૫૦ તાલુકાના ૫૦૦થી વધુ સ્થળોએ સ્વાગત કરાશે ગુજરાત ભાજપ (BJP) દ્વારા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની આગેવાનીમાં આગામી તા.૭ ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન ઉનાઇથી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે તેમ પ્રદેશ મહામંત્રી અને યાત્રા ઇન્ચાર્જ ભરતસિંહ પરમારે જણાવ્યું હતુ. યાત્રાની વિગતો આપતા પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકારે “પેસા” (PESA)ના અમલીકરણથી આદિવાસી વિસ્તારોના ગ્રામજનોને મળેલા અધિકાર અને ગૌરવને બક્ષતી આ યાત્રા આદિવાસી વિસ્તારના ૧૫ જિલ્લાના ૫૦ તાલુકાઓને આવરી લેવામાં આવશે. આ દરમિયાન ૫૦૦ જેટલા સ્થાનો પર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે તેમજ જનસભાને સંબોધન કરવામાં આવશે. પરમારે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની યાત્રા દરમિયાન યોજાનાર જાહેર સભાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સહિત કેન્દ્રીય આગેવાનો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનની સરકારના આદિવાસી મંત્રીઓ સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહી ભાજપ સરકારના આદિવાસી સમાજ માટેના વિકાસના કાર્યો અને સંવેદનાપૂર્ણ નિર્ણયો સહિતની બાબતોનું માર્ગદર્શન આપશે.
Related Articles
The post 7 ફેબ્રુઆરીથી BJP ની ઉનાઈ થી અંબાજી સુધીની ‘‘આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા’’નો પ્રારંભ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here