ચિંતન નામના શખ્સે કરી છેતરપિંડી: ખાડિયા પોલીસ મથકે ભોગ બનનારાઓએ મચાવ્યો હોબાળો અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા લોકોને Ambaji ની યાત્રા કરાવવાના બહાને એક શખ્સે 50થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના આજે બહાર આવી છે. આ મામલે ભોગ બનનાર લોકો ખાડિયા પોલીસ મથકે દોડી ગયા હતા, જેના કારણે ખાડિયા પોલીસ મથકે હોબાળો મચી જવા પામ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા લોકોને ચિંતન નામના શખ્સે રાહત દરે યાત્રાધામ Ambaji ની યાત્રા કરાવવાનું કહ્યું હતું. આ પેટે ચિંતન નામના શખ્સે ખાડિયામાં રહેતા 50થી વધુ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, અને ત્યાર બાદ તેમને આજે વહેલી સવારે અંબાજી જવા માટે નિયત સ્થળે એકઠાં થવા કહ્યું હતું. જેના અંતર્ગત આજે સવારે અંબાજી જવા માટે આ લોકો એકઠાં થયા હતા. પરંતુ ચિંતન કે તેના માણસો મોડે સુધી કોઈ ડોકાયું ન હતું તેમજ ન તો બસ આવી ન હતી. જેના કારણે આ લોકોને પોતે છેતરાયા હોવાની ખબર પડી હતી. આ ભોગ બનનારાઓમાં સિનિયર સિટીઝનોની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે છેતરપિંડીનો ભોગ બનનારા લોકોનું ટોળું ખાડિયા પોલીસ મથક પહોંચ્યું હતું. જેના કારણે પોલીસ મથકમાં થોડા સમય માટે હોબાળો મચી ગયો હતો. જો કે પોલીસ મથકના અધિકારી દ્વારા છેતરપિંડીનો ભોગ બનનારા લોકોને સાંભળ્યા હતા. ભોગ બનનારા લોકોની રજૂઆતના આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
The post અમદાવાદના ખાડિયામાં Ambaji લઈ જવાના નામે 50થી વધુ લોકો સાથે ઠગાઈ appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here